ગીર સોમનાથઃ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં RSSની સૌપ્રથમ રાષ્ટ્રીય કાર્યકારિણીનું આયોજન આગામી 15થી 17 જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના RSSના પ્રચારકો પ્રાંત પ્રચારકો અને અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહેશે.
જે અનુસંધાને આગામી 11મી જુલાઈના રોજ તેઓનું આગમન થશે. RSSના વડા મોહન ભાગવત પણ 11મી જુલાઈએ સાંજે સોમનાથ પહોંચશે. આ સિવાય સંઘના શિર્ષ વડાઓ પણ ઉપસ્થિત રહેશે અને સામૂહિત ચિંતન બેઠક પણ યોજશે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે જ સંઘની વાર્ષિક કાર્યકારિણીથી યોજાવા જઈ રહી છે. જેથી દેશના રાજકારણ પર આની અસર થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. રામમંદિર સહિતના મહત્વના મુદ્દે આ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ લેવાય તવી શક્યતા છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથના સાગર દર્શન અતિથિ ગૃહ ખાતે કાર્યકારિણી યોજાશે. ત્રણ દિવસમાં સંઘના રાષ્ટ્રીય કારોબારીના તમામ સભ્યો સંઘના વડા અને દેશના જુદા જુદા પ્રાંતમાંથી આવેલા પ્રચારકો અને સહ પ્રચારકો આ ચિંતન બેઠકની વિવિધ સભાઓમાં હાજર રહેશે.