આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વેગ આપ્યો, કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે તિરંગા અભિયાન પર નિશાન સાધ્યું
'હર ઘર તિરંગા' અભિયાનને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વેગ આપ્યો
આરએસએસે શનિવારે તેમની ઓફિસમાં તિરંગો ફરકાવતો વીડિયો જાહેર કર્યો
વીડિયોમાં આરએસએસના વડા મોહન ભાગવત તિરંગો ફરકાવતા જોવા મળ્યા
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વેગ આપ્યો છે. આરએસએસે શનિવારે તેમની ઓફિસમાં તિરંગો ફરકાવતો વીડિયો જાહેર કર્યો હતો. જેમાં આરએસએસના વડા મોહન ભાગવત તિરંગો ફરકાવી રહ્યા છે. તેની સાથે લખ્યું હતું- 'સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરો'. દરેક ઘરમાં તિરંગો ફરકાવો. રાષ્ટ્રીય સ્વાભિમાન વધારો."
આરએસએસે ટ્વિટર હેન્ડલ પર તિરંગાની ડીપી મૂકી
આ પહેલા સંઘે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તિરંગાની ડીપી મૂકી હતી. આ સાથે મોહન ભાગવતે પણ પોતાનો પ્રોફાઈલ ફોટો બદલીને તિરંગો લગાવ્યો છે. સંઘના નેતાઓએ પણ હર ઘર પર તિરંગા અભિયાનમાં ભાગ લેવાની અપીલ કરી છે.
स्वाधीनता का अमृत महोत्सव मनाएँ.
हर घर तिरंगा फहराएँ.
राष्ट्रीय स्वाभिमान जगाएँ. pic.twitter.com/li2by2b0dK
આ તરફ કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે તિરંગા અભિયાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તે લોકો જેમણે આપણા સ્વતંત્રતા સેનાનીઓ સાથે દગો કર્યો, જેમણે આપણા દેશ સાથે દગો કર્યો, જેમણે આપણા સ્વતંત્રતા સંગ્રામ અને ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો, જેમણે અંગ્રેજો માટે કામ કર્યું. જેમણે માફી માંગી. આજે એ આપણા રાષ્ટ્રધ્વજનો તિરંગા વેચી રહ્યા છે. તિરંગા વેચો પાર્ટી.
Those people who betrayed our freedom fighters, who betrayed our country,
Those who opposed our freedom struggle and Quit India Movement,
Those who worked for the Britishers, who apologized to Britishers,
Today, They are selling our National Flag Tiranga.
ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનની ગુંજ દેશભરમાં સંભળાઈ રહી છે. 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરેથી થઈ છે. અમિત શાહે આજે તેમના ઘરેથી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની ઔપચારિક શરૂઆત કરી હતી. અમિત શાહે તેમની પત્ની સોનલ શાહ સાથે ત્રિરંગો લહેરાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું અપીલ કરી ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જુલાઈએ દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ લગાવવાની અપીલ કરી હતી. આ દરમ્યાન સાંસ્કૃતિક મંત્રાલયના અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે દેશમાં 'હર ઘર તિરંગા અભિયાન'ની ઘોષણા બાદથી, લોકોને 20 કરોડથી વધુ તિરંગા પ્રદાન કરવામાં આવ્યા છે.