અમદાવાદથી 32 કિમીના અંતરે હાજીપુર પાસે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યૂનિકેશન એન્ડ રિસર્ચ બનવા જઇ રહી છે. જ્યાં 400 જેટલા અન્ડર ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ સ્ટૂડેન્ટ્સને જાણીતા પ્રોફેસર અને વૈશ્વિક કક્ષાની ફેકલ્ટી પાસેથી પત્રકારત્વ શીખવા મળશે.
જ્યારે એક્સપર્ટ્સનું માનવું છે કે આરએસએસ (RSS)ને મદદ કરવા માટે આ એક પ્રકારે એવા પત્રકારોની કેડર હશે જે તેની વિચારધારાને પ્રોત્સાહિત કરશે. જ્યારે ટ્રસ્ટનું કહેવું છે કે એમનો હેતું રાષ્ટ્રીય ચેતના, હકારાત્મકતા વધારવો છે.
સંઘ અને ભાજપ સંયુક્તપણે ગુજરાત મોડેલની રેપ્લિકા મીડિયા અને જર્નાલિઝમમાં ઉભી કરવા માંગે છે. જો કે ફરી એક વખત ગુજરાત મોડેલ પ્રમોટ થશે. સંઘ (RSS)ના નેતૃત્વમાં ચાલતું ટ્રસ્ટ 100 કરોડ રૂપિયા ખર્ચી 10 એકરમાં નેશનલ મીડિયા ઈન્સ્ટિટ્યૂટ બનાવી રહી છે. કેમ્પસમાં તમામ પ્રકારની ટેક્નોલોજી અને એડવાન્સ સ્ટુડિયો, મીડિયા રિસર્ચ સેન્ટર, મીડિયા મ્યુઝિયમ અને ઘણી વિશેષ ફેસેલિટી હશે.
સંઘના નેતૃત્વ વાળું ટ્રસ્ટ VSEF હાલમાં અમદાવાદમાં જ NIMCJ (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ) કે જે 2007થી ચાલી રહી છે. હવે NIMCJએ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન અને રિસર્ચ (NIMCaR)ના સંયુક્રત ઉપક્રમે હાજીપુરમાં શરૂ થશે. આ સંસ્થાનું ભૂમિપૂજન ફેબ્રુઆરી 2019માં જ પૂર્ણ થયું છે જ્યારે 2021 સુધીમાં સંસ્થા શરૂ પણ થઈ જશે.
જ્યારે NIMCaRના વિઝન અને મિશન વિશે વિશ્વ સામવેદ એજ્યુકેશન ફાઉન્ડેશન(VSEF)ના મેનેજિંગ ટ્રસ્ટી અને સંઘ નેતા પ્રદિપ જૈના કહેવા મુજબ ‘ પ્રાચીન સમયથી આપણાં દેશના મુળમાં પત્રકારત્વ છે. ભગવાન નારદ એ તેનું પ્રથમ ઉદાહરણ છે. પણ આપણી પત્રકારત્વની શક્તિ ક્યારેય પણ મોટી શક્તિ તરીકે ઉભરી નથી આવી.’ જૈને વધુમાં ઉમેર્યું કે ભારત વિશ્વ ગુરૂ બનવા જઈ રહ્યું છે ત્યારે પત્રકારત્વને ચોથા સ્તંભ તરીકે સમક્ષ ઉભો કરવો જરૂરી છે. અને આપણે યોગ્ય યુવાનોને એ દિશામાં પ્રમોટ પણ કરવા પડશે
વિદ્યાર્થીઓને વૈશ્વિક એક્સ્પો મળશે
અહીં જર્નાલિઝમ માટે એક અલગથી જ બિલ્ડીંગ હશે જે ઈકો ફ્રેન્ડલી કેમ્પસ સાથે. સ્પેશિયલ રિસર્ચ માટે વિવિધ પ્રકારની વ્યવસ્થા ગોઠવાશે. સંસ્થામાં વૈશ્વિક લેવલની ફેક્લટીઓને આમંત્રણ આપવામાં આવશે. અને તેઓ જ ભણાવશે. અહીં 400થી વધુ વિદ્યાર્થીઓ વૈશ્વિક કક્ષાના કેમ્પસમાં અભ્યાસ કરશે.