મુંબઈમાં આજે RSSના સંઘ પ્રમુખે એક શાળામાં ધ્વજ વંદન કર્યું. જ્યા તેમણે એવું નિવેદન આપ્યું કે જ્યા સુધી આપણે ચીન પર નિર્ભર રહીશું ત્યા સુધી તેમની સામે ઝુંકવું પડશે.
RSSના પ્રમુખ મોહન ભાગવે આપ્યું મોટું નિવેદન
મુંબઈની શાળામાં મોહન ભાગવતે કર્યુ ધ્વજવંદન
ભારતના લડવૈયાઓ પાસેથી આપણાને પ્રેરણા મળી
રાષ્ટ્રીય સંવ્યસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે આજે સ્વતંત્રતા દિવસે મુંબઈની રાજા સ્કૂલમાં ઝંડો લહેરાવ્યો. આ પ્રસંગે તેમણે ભારતની આર્થિક આઝાદી પર પોતાના વિચાર મુક્યા હતા. જેમા ખાસ કરીને તેમણે ચીનની નિર્ભરતા સામે સવાલો ઉઠાવ્યા.
ચીન પર નીર્ભર રહેશો ત્યા સુધી નમવું પડશે : મોહન ભાગવત
RSSના પ્રમુખે કહ્યું કે આપણે ઈન્ટરનેટ અને ટેક્નોલોજીનો જે ઉપયોગ કરી રહ્યા છે. તે મૂળ રૂપે આપણાને ભારતમાંથી નથી મળતી. આપણે ભલે ચીનનો વિરોધ કરીએ. પરંતુ તામારા ફોનમાં પણ જે વસ્તુઓ છે તે બધી ચીનમાંજ બનેલી છે. માટે જ્યારે સુધી આપણે ચીન પર નિર્ભર છીએ ત્યા સુદી આપણે ચીન સામે ઝુકવું પડશે.
વિદેશી વસ્તુઓ દેશમાં આવતા સંઘર્ષ થાય છે : મોહન ભાગવત
વધુમાં સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું કે જ્યારે પણ કોઈ વીદેશી વસ્તુઓના પગ આપણા દેશમાં આવે છે. ત્યારથી સંઘર્ષની શરૂઆત થતી હોય છે. સાથેજ તેમણે કહ્યું કે આપણા દેશ પર આક્રમણકારિઓએ ઘણી વખત આક્રમણ કર્યુ જેના પર 1947 ના રોજ 15 ઓગસ્ટના દિવસે પૂર્ણ વિરામ આપણે મુક્યું હતું.
ભારતના લડવૈયાઓથી પ્રેરણા મળે છે : મોહન ભાગવત
મોહન ભાગવતે દેશના લડવૈયાઓને યાદ કરતા કહ્યું કે તેમાથી આપણાને પ્રેરણા મળે છે. આજે તેમને યાદ કરવાનો દિવસ છે. સાથેજ તેમણે કહ્યું 15 ઓગસ્ટના દિવસે આજથી 75 વર્ષ પહેલા આપણા દેશની સ્થાપના થઈ હતી. તે દિવસે આપણે આપણું જીવન જીવવા માટે સ્વતંત્ર થઈ ગયા હતા.
વડાપ્રધાને લાલ કિલ્લા પર આપ્યું સંબોધન
ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદીએ પણ લાલકિલ્લા પર ધ્વજવંદન કર્યુ. બાદમાં તેમણે દેશને સંબોધન આપતા એવું કહ્યું હતું કે આજે 21મી સદીમાં ભારના સપનાઓને સાકાર કરવા કોઈ તેમને રોકી નહી શકે. તેમણે ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યા વગર આ વાત કહી હતી.