બોલિવુડ એક્ટર મનોજ બાજપેયીની વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન' રિલીઝ થયા પછી સતત વિવાદોમાં છે. સોશ્યલ મીડિયા પર ઘણા લોકો આ વેબ સીરિઝના વખાણ કરી રહ્યા છો, તો ઘણા લોકો ટીકા કરી રહ્યા છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની મેગેઝિન પાંચજન્યમાં આ સીરિઝને દેશ વિરોધી ગણાવતા નિશાનો સાધ્યો છે.
RSS ના મેગેઝિને સીરિઝ પર લગાવ્યા ગંભીર આરોપ
અનુરાગ કશ્યપ અને રાધિક આપ્ટેની વેબસીરિઝની થઇ ટીકા
સામાન્ય વ્યકિતના રોજિંદા જીવન પર આધારિત વેબ સીરિઝ ધ ફેમિલી મેન સતત ચર્ચામાં છે, જેમાં ધાર્મિક ઉગ્રવાદ અને આંતકવાદ પાછળના કારણો બતાવવામાં આવ્યા છે. વેબ સીરિઝમાં લીડ રોલના એક્ટર મનોજ બાજપેયીની એક્ટિંગના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે પરંતુ પાંચજન્યમાં છપાયેલા એક આર્ટિકલમાં તેણે જેહાદની નવી રીત બતાવવામાં આવી છે.
પાંચજન્યમાં છપાયેલા લેખ અનુસાર, આ સીરિઝમાં NIA થી સંબંધિત એક મહિલા ઑફિસરને પોતાના એક સાથી ઑફિસરની સાથે શ્રીનગરના લાલ ચૌક પર વાત કરવા બતાવવામાં આવ્યુ છે. આ વાતચીત અનુસાર, કાશ્મીરીઓનુ ભારત સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યુ છે કેમકે ત્યાં ફોન અને ઇન્ટરનેટ બંધ કરેલા છે અને AFSPAના કાયદાને કારણે ત્યાં સ્થિતિ સારી નથી.
મેગેઝિમમાં તે પણ લખવામાં આવ્યુ છે કે, આ વાતચીત દરમિયાન તે પણ કન્ક્લૂઝન નીકળીને આવે છે કે શું ભારતીય પ્રશાસન અને આતંકવાદીઓ વચ્ચે કોઇ અતંર છે?. આ આર્ટિકલમાં બાકીના માધ્યમો પર પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે જે અનુસાર, ફિલ્મો અને ટીવી સીરિયલ્સ પછી વેબ સીરિઝ એન્ટી નેશલિઝ્મ અને જેહાદના કન્ટેન્ટને પ્રમોટ કરવાનું એક માધ્યમ બની રહ્યુ છે. આ દેશના યુવાનો માટે આતંકવાદને કૂલ અને ફેશનબેલ દેખાડવાનો પ્રયત્ન કરે છે.
મેગેઝિનના આર્ટિકલમાં આગળ લખવામાં આવ્યુ છે કે વેબ સીરિઝ અનુસાર, 2002માં ગુજરાતમાં તોફાનને કારણે આતંકવાદની સમસ્યા ઉભી થઇ હતી, એક ચરિત્ર જે આતંકવાદીમાં બદલાઇ જાય છે, તોફાનમાં તેના માતા-પિતાના ગુમાવતા જોયા હતા, આર્ટિકલમાં પૂછવામાં આવ્યુ છે કે, જેમાં 300થી વધારે હિંદૂ પણ માર્યા ગયા હતા તેમ છતાં કોઇએ આંતકવાદ વિરોધ પગલા કેમ ના ભર્યા?
આ આર્ટિકલમાં અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની અને નીરજ ઘેવાનની સીરિઝ 'સેક્રેડ ગેમ્સ' અને રાધિકા આપ્ટે સ્ટાર 'ઘોઉલ' ને હિંદૂમાં વિરોધ ફેલાવતી વેબ સીરિઝ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.