રામ મંદિર મામલે રાષ્ટ્રય સ્વયંસેલક સંઘ (RSS)એ સુપ્રીમ કોર્ટના આવનારા નિર્ણયને ખુલ્લા મનથી સ્વીકારવાની વાત કરી છે. આરએસએસએ કહ્યું કે, 'આગામી દિવસોમાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણના દાવા પર સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્ણય આવવાની સંભાવના છે. નિર્ણય જે પણ આવે તેને તમામે ખુલ્લા મનથી સ્વીકારવો જોઇએ. નિર્ણય બાદ દેશભરમાં વાતાવરણ સુખમય બન્યું રહે.'
કોર્ટના નિર્ણયને બધાએ મનથી સ્વીકાર કરવો જોઈએઃ સંઘ
દેશમાં સુખમય વાતાવરણ બન્યુ રહેઃ સંઘ
40 દિવસની સુનાવણી બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો
દિલ્હીમાં આરએસએસની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત અને ભૈયાજી જોશી હાજર રહ્યા છે. સંગઠનના પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે કહ્યું કે 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી હરિદ્વારમાં પ્રચારક વર્ગની સાથે બે દિવસની બેઠક પહેલાથી નક્કી હતી. પરંતુ આ બેઠકને જરૂરી કારણોસર સ્થગિત કરી દેવાઇ. પરંતુ બેઠક હરિદ્વારના બદલે હવે દિલ્હીમાં થઇ રહી છે.
आगामी दिनों में श्रीराम जन्मभूमि पर मंदिर निर्माण के वाद पर सर्वोच्च न्यायालय का निर्णय आने की संभावना है।निर्णय जो भी आए उसे सभी ने खुले मन से स्वीकार करना चाहिए।निर्णय के पश्चात देश भर में वातावरण सौहार्दपूर्ण रहे,यह सबका दायित्व है।इस विषय पर भी बैठक में विचार हो रहा है।
મહત્વનું છે કે આ બેઠકમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા છે.
જણાવી દઇએ કે અયોધ્યાના બાબરી મસ્જિદ અને રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ચૂકી છે. આશા છે કે નવેમ્બરમાં જ આ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી શકે છે. આરએસએસ પહેલા થોડા સમય અગાઉ જ પીએમ મોદીએ કહ્યું કે દેશની એકતા અને અખંડતા માટે સમાજ કઇ પ્રકારે સતર્ક રહ્યો છે, તેનું ઉદાહરણ સપ્ટેમ્બર 2010માં અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયથી મળ્યું હતું.
40 દિવસની સુનાવણી બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની આગેવાની વાળી પાંચ જજોની બેંચે 40 દિવસ સુધી સતત સુનાવણી કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો. આ બેંચમાં જજ એસ એ બોબડે, જજ ધનન્જય વાઈ ચન્દ્રચૂડ, જજ અશોક ભૂષણ અને જજ એસ અબ્દુલ નઝીર પણ સામેલ છે.
સપ્ટેમ્બર, 2010નો અલ્હાબાદ હાઇકોર્ટનો નિર્ણય
સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેંચે અયોધ્યામાં 2.77 એકર વિવાદિત જમીનને ત્રણ પક્ષકારો સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વચ્ચે બરાબર વહેંચવાના આદેશ સંબંધ અલ્હાબાદ હાઇકોર્ટના સપ્ટેમ્બર, 2010ના નિર્ણય વિરૂદ્ધ દાખલ કરાયેલ 14 અરજીઓ પર સુનાવણી કરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇનો કાર્યકાળ 17 નવેમ્બરે સમાપ્ત થઇ રહ્યો છે. તેવામાં આશા વ્યક્ત કરાઇ રહી છે કે 17 નવેમ્બર પહેલા અયોધ્યા મામલે ચુકાદો સંભળાવી શકાય.