રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ( RSS ) પ્રમુખ મોહન ભાગવતે ઇશારા-ઇશારામાં મહારાષ્ટ્રના રાજકરણને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે બધાને ખબર છે સ્વાર્થના કારણે નુકસાન થાય છે, પરંતુ સ્વાર્થ છોડતા નથી. અંદરો-અંદરની લડાઇમાં બંનેને નુકસાન થશે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદથી શિવસેના અને ભાજપ વચ્ચે સંબંધો વણસી ગયેલાજોવા મળી રહ્યાં છે. શિવસેનાના સાંસદે કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપી દીધુ, NDA ની બેઠકમાં ભાગ લેવા ઇન્કાર કરી દીધો. જ્યારે બીજી તરફ શિવસેના પોતાના મુખપત્ર સામનામાં સતત ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યું છે.
Rashtriya Swaysevak Sangh (RSS) chief Mohan Bhagwat at an event in Nagpur: Sab jaante hain ki swaarth bahut kharab baat hai, lekin apne swaarth ko bahut kum log chhorte hain. Desh ka udharan lijiye ya vyaktion ka.
મહારાષ્ટ્ર ચૂંટણી શિવસેના અને ભાજપ એક સાથે લડ્યા હતા, જેમાં ભાજપને 105 અને શિવસેના 56 બેઠક પર જીત્યાં હતા. જો કે ત્યાર બાદ મુખ્યમંત્રી પદને લઇને બંને વચ્ચે તકરાર ચાલી રહી છે. જો કે શિવસેના તરફથી ઘણી વખત સંઘ પ્રમુખની મધ્યસ્થતાને લઇને ખબર આવતી હતી. આવા સમયે સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ મહારાષ્ટ્ર રાજકારણ અને શિવેસના-ભાજપ પર કેટલી અસર પડશે તે હવે જોવાનું રહ્યું.
RSS's Mohan Bhagwat in Nagpur:Sab manav jaante hain prakruti ko nasht karne se hum nasht ho jaayenge. Par prakruti ko nasht karne ka kaam thama nahi.Sab jaante hain ki aapas mein jhagda karne se dono ki haani hoti hai. Lekin aapas mein jhagda karne ki baat abhi tak bandh nahi hui pic.twitter.com/ORU7G5ygdZ