રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારિણીની ત્રણ દિવસીય બેઠક મુંબઈમાં શરૂ થઈ. આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહ્યાં. ત્યારે સંઘ પ્રચારક ડોક્ટર મનમોહન વૈદ્યે કહ્યું કે હવે સરકારે રામ મંદિર માટે જમીન મેળવીને મંદિરનું કામકાજ શરૂ કરવું જોઈએ.
રામ મંદિરનો મામલો હિન્દુ કે મુસ્લિમ અથવા મંદિર કે મસ્જીદ બનાવવાને લઈને નથી. કોર્ટે પહેલાં જ કહ્યું છે કે નમાઝ માટે મસ્જિદ અનિવાર્ય નથી. તેઓ ખુલી જગ્યામાં પણ નમાઝ અદા કરી શકે છે. મંદિર તોડીને મસ્જિદ બનાવવી કાયદાકીય કામ નથી.
રામ મંદિર પર હવે વધુ ચર્ચા વિચારણા કરવાની જરૂર નથી. જ્યારે બાબર પર વિજય મેળવ્યો ત્યારે તેમની પાસે ખૂબ જમીન હતી અને ક્યાંય પણ મસ્જિદ બનાવી શકતા હતા. કોર્ટે કહ્યું છે કે મુસ્લિમ પ્રાર્થનાઓ માટે મસ્જિદ મહત્વપૂર્ણ નથી. ઈસ્લામી વિદ્વાનો પણ કહે છે કે જે જગ્યાનો વિજય મેળવીને મસ્જિદ નિર્માણ કરવામાં આવે ત્યાં પ્રાર્થના કરવી યોગ્ય નથી.