દિલ્હી: રામ મંદિર નિર્માણ મુદ્દે હવે રાષ્ટ્રિય સ્વયમ સેવક સંઘે કડક રૂખ અપનાવ્યો છે અને પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે મંદિર નિર્માણ માટે જો 1992 જેવું આંદોલન કરવું પડશે તો અમે કરીશું. રામ મંદિરનું નિર્માણ થાય તે જનભાવના છે.
Adhyadesh jinko maangna hai wo maangenge la sakte hain ki nahi wo nirnay sarkar ko karna hai: Bhaiyyaji Joshi RSS #RamMandirpic.twitter.com/MCT7ZDEHbA
રામ મંદિરનો મામલો કોર્ટમાં અટવાયેલો છે. તેથી અમને આશા છે કે લોક લાગણીને ધ્યાનમાં રાખી કોર્ટ આ દિશામાં ફરી એક વખત વિચારણા કરે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પર તંજ કસતા સંઘે કહ્યું કે રામ મંદિર મુદ્દે સરકારે વટ હુકમ લાવવો જોઈએ અને લોક લાગણીને પ્રાધાન્ય આપવું જોઈએ.
Avashyakta padi to karenge: Bhaiyyaji Joshi RSS when asked 'Jis tarah se 1992 mein aandolan kiya gaya tha us tarike se aadnolan kiya jaagea iss mudde par?' #RamMandirpic.twitter.com/x0YkEC7VIQ
ભૈયાજી જોશીએ કહ્યું કે અમારી ઇચ્છા છે કે ભવ્ય રામ મંદિર બનશે અને કોર્ટ પણ ભાવનાઓને ધ્યાને રાખીને જ ચુકાદો આપશે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે કોર્ટ પાસેથી અપેક્ષા ઘણા લાંબા સમયથી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ છેલ્લા 7 વર્ષથી છે. આ સાથે જ 3 જજોની બેન્ચની સમિતિ પાસે અમને આશા હતી પરંતુ તે શક્ય ના બન્યું.
Ram sab ke hriday mein rehte hain par wo prakat hote hain mandiron ke dwara. Hum chahte hain ki mandir bane. Kaam mein kuch baadhaein awashya hain aur hum apeksha kar rahe hain ki nyalalya Hindu bhavnaon ko samajh ke nirnay dega: Bhaiyyaji Joshi RSS pic.twitter.com/LU37D4pILi
રામ મંદિર માટે વટહુકમના સવાલ મુદ્દે જોશીએ કહ્યું કે વટહુકમ જેમને જોઇએ છે તે માગે પરંતુ આ મામલે નિર્ણય સરકારે લેવો પડશે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે રામ સૌના દિલમાં છે પરંતુ તે પ્રગટે છે મંદિરો દ્વારા. આ સાથે જ રામ મંદિર અહીં બનવું જોઇએ.