જમ્મૂ પહોંચેલા RSSનાં વરિષ્ઠ પ્રચારક ઇન્દ્રેશ કુમારે પાકિસ્તાન અને ચીનને નિશાના પર લીધાં હતાં. તેમણે અહીં કૈલાશ માનસરોવર અને પીઓકેનાં મુદા્ઓ પર કહ્યું કે આ બંને ભારતને મળવા જોઇએ.
RSSનાં પ્રચારક ઇન્દ્રેશ કુમાર જમ્મૂ પહોંચ્યાં
ચીન અને પાકિસ્તાન પર નિશાન સાધ્યું
કૈલાશ માનસરોવર અને PoK વિષયે કરી વાત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નાં પ્રચારક અને નેતા ઇન્દ્રેશ કુમાર શનિવારે જમ્મૂ પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે સૌથી પહેલા ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની મુલાકાત લીધી અને જમ્મૂ-કાશ્મીર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની સ્વાસ્થ્ય સેવાઓ વિષયક વાત કરી.
"ચીને કોવિડ નામક વાયરસ બનાવ્યું"
આરએસએસનાં પ્રચારક ઇન્દ્રેશ કુમારે કહ્યું કે ' કૈલાશ માનસરોવર ભારતનું છે અને તેણે ભારતનું જ હોવું જોઇએ. ભારતની આ જ મુખ્યત્વે ધારણા છે. તેમણે વધુમાં કહ્યું કે ચીને કોવીડ-19 નામક વાયરસ બનાવ્યો અને 8 લાખ લોકોનો જીવ લીધો. તો આ સમયે ભારત એક રક્ષકનાં રૂપે સામે આવ્યો. ઇન્દ્રેશે કહ્યું કે ચીન ભારત માટે સૌથી મોટો પડકાર છે. '
ઇન્દ્રેશ કુમારે Pak પર નિશાન સાધ્યું
ચીનની સાથે સાથે ઇન્દ્રેશ કુમારે પાકિસ્તાન પર પણ નિશાન સાધતાં કહ્યું કે ' છેલ્લાં 75 વર્ષમાં પાકિસ્તાનમાં એક પણ એવો સપ્તાહ નહીં હોય કે જે શાંતિપૂર્વક વિત્યો હોય. ઇન્દ્રેશ કુમારે જનતાને PoK અને કૈલાશ માનસરોવરને લઇને પ્રાર્થના કરવા પણ આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે હું સામાન્ય જનતાથી અપીલ કરું છું કે તેઓ દરરોજ પ્રાર્થના કરે કે પીઓકે અને કૈલાશ માનસરોવર ભારતને પ્રાપ્ત થાય.'
ઘાટીઓનાં નેતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યાં...
ઇન્દ્રેશ કુમારે પ્રેસ કોન્ફેરેન્સમાં કાશ્મીરી પંડિતોનો મુદો ઉઠાવ્યો અને ઘાટીઓનાં નેતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યાં હતાં. તેમણે કહ્યું કે 'કાશ્મીરી પંડિતોએ ઘાટીમાં પુનર્વાસ પર કાશ્મીરી નેતાઓનો કોઇ ઉલ્લેખ નથી. કાશ્મીરમાં થઇ રહેલી ટારગેટ કિલિંગ પર આ લોકો કંઇ બોલતા નથી. '