AIMIM ના પ્રમુક અસુદ્દીન ઓવૈસીએ સંઘ સુપ્રિમો મોહન ભાગવત પર નિશાન સાંધતા વાર પલટવાર કર્યો
અસુદ્દીન ઓવૈસીના મોહન ભાગવત પર પ્રહાર
આધુનિક ભારતમાં હિન્દુત્વનું સ્થાન હોવું જોઈએ નહીં
કેમ છંછેડાયો વિવાદ શું કહ્યું હતું મોહમન ભાગવતે ?
AIMIM ના પ્રમુક અસુદ્દીન ઓવૈસીએ સંઘ સુપ્રિમો મોહન ભાગવત પર નિશાન સાંધતા વાર પલટવાર કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે બે દિવસ પહેલા દેશમાં વધતી મુસ્લિમ વસ્તી પર ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે ભારતને પાકિસ્તાન બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે, વર્ષ 1930 થી મુસ્લિમ વસ્તી વધારવાનો એક સંગઠિત પ્રયાસ હતો. ભાગવતના આ નિવેદન પર એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ હવે જોરદાર પ્રહાર કર્યા છે ઓવૈસિએ કહ્યું કે આરએસએસ પાસે દિમાગ શૂન્ય છે તો પણ મુસ્લિમોનો નફરત 100 ટકા કરે છે.
RSS’s Bhagwat says there’s “organised attempt to increase Muslim population since 1930”
1. If all our DNA is same, why keep count?
2. Indian Muslim population growth rate has seen sharpest decline between 1950-2011
Sangh has Zero brains, 100% hate towards Muslims. 1/2
શુક્રવારે ઓવૈસીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર સતત બે ટ્વીટ કરીને મોહન ભાગવત પર નિશાન સાંધ્યું હતું અને તેમના પર આકરા પ્રહારો કર્યો હતા. પ્રથમ ટ્વીટમાં તેમણે લખ્યું છે- RSSના ભાગવત કહે છે કે 1930 થી મુસ્લિમ વસ્તી વધારવા સંગઠિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો આપણો ડીએનએ સરખો છે તો આપણે શા માટે ગણતરી કરી રહ્યા છીએ? 1950 થી 2011 દરમિયાન ભારતીય મુસ્લિમ વસ્તી વૃદ્ધિ દરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સંઘનું મગજ શૂન્ય છે, 100% મુસ્લિમોને નફરત કરે છે.
આધુનિક ભારતમાં હિન્દુત્વનું સ્થાન હોવું જોઈએ નહીં.
ઓવૈસી ભાગવત પર પ્રહાર કરતા એટલે સુધી અટક્યા નહીં બલ્કે તેમણે બીજુ ટ્વીટ કરતા કહ્યું કે - RSSની મુસલમાનોને ધિક્કારવાની ટેવ રહી છે. આ કરીને તે સમાજમાં ઝેર ભેરવી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, મોહન ભાગવતે કહ્યું હતું કે આપણે બધા એક છીએ. આ નિવેદનથી તેના સમર્થકોને ખૂબ જ અસ્વસ્થ કરવું પડશે. તેથી તેણે ફરીથી મુસ્લિમોને અપમાનિત કરવા અને જૂઠાણાં કહેવા પાછા જવું પડ્યું. આધુનિક ભારતમાં હિન્દુત્વનું કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.
કેમ છંછેડાયો વિવાદ શું કહ્યું હતું મોહમન ભાગવતે ?
ઉલ્લેખનિય છે કે બુધવારે મોહન ભાગવતે આસામમાં એક કાર્યક્રમ દરમિયાન NRC અને CAA એ પર લખેલ પુસ્તકનું વિમોચન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ભારતને પાકિસ્તાન બનાવવા અને તેનું વર્ચસ્વ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી 1930થી મુસ્લિમ વસ્તી વધારવાનો સંગઠિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવી યોજના પંજાબ, સિંધ, આસામ અને બંગાળ માટે બનાવવામાં આવી જે કંઈક અંશે સફળ પણ રહી હતી.