રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબોલે પસંદ કરાયા છે. આગામી ત્રણ વર્ષ માટે તેઓ આ પદની જવાબદારી સંભાળશે.
12 વર્ષ બાદ RSSના સરકાર્યવાહ બદલ્યા
નવા સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબાલેની વરણી
ભૈય્યાજી જોશીનું પદ સંભાળશે દત્તાત્રેય હોસબાલે
બેંગલુરૂમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો. સંઘમાં સરકાર્યવાહ(મહાસચિવ)ની ચૂંટણી થઇ ગઇ છે, જેમાં સુરેશ ભૈયાજી જોશીની જગ્યાએ દત્તાત્રેય હોસબાલેને સરકાર્યવાહની જવાબદારી આપવામાં આવી છે. સંઘની પ્રતિનિધિ સભાએ સર્વસમ્મતિથી આગામી ત્રણ વર્ષ માટે દત્તાત્રેયને સરકાર્યવાહ પસંદ કરાયા છે. આ પહેલા તેઓ સહ સરકાર્યવાહની જવાબદારી સંભાળી રહ્યા હતા.
बेंगलुरु : संघ की अखिल भारतीय प्रतिनिधि सभा में सरकार्यवाह पद के लिए श्री दत्तात्रेय होसबाले जी निर्वाचित हुए। वे 2009 से सह सरकार्यवाह का दायित्व निर्वहन कर रहे थे। pic.twitter.com/wEVwGCDaWD
નવા સરકાર્યવાહની જવાબદારી દત્તાત્રેય હોસબોલેને મળતાની સાથે જ માનવામાં આવી રહ્યું છે કે સંઘના પ્રમુખ પદો પર કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર થઇ શકે છે. સુરેશ ભૈયાજી જોશી છેલ્લા 12 વર્ષ એટલે 2009થી સંઘના સૌથી મહત્વપૂર્ણ સરકાર્યવાહના પદની જવાબદારી નિભાવી રહ્યા હતા.