સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, સ્વતંત્રતા બાદથી જ વીર સાવરકરને બદનામ કરવાનું અભિયાન ચાલ્યું છે. આજના સમયમાં વીર સાવરકર અંગે હકિકતમાં સાચી માહિતીનો અભાવ છે. પોતાના સંબોધનમાં મોહન ભાગવતે કહ્યું કે, હજુ સંઘ અને વીર સાવરકર પર ટીકા-ટિપ્પણી થઇ રહી છે પરંતુ આવનારા સમયમાં વિવેકાનંદ, દયાનંદ અને સ્વામી અરવિંદ...નો નંબર આવશે.
તેમણે કહ્યું કે, ભારતને જોડવાથી જેમની દુકાન બંધ થઇ જશે તેમને સારા નથી લાગતા. તેવા જોડનારા વિચારને ધર્મ માનવામાં આવે છે, પરંતુ આ ધર્મ જોડનારા છે, ન કે પૂજા-પદ્ધતિના આધારે વહેંચવા વાળા. આની માનવતા કે સંપૂર્ણ વિશ્વની એકતા કહેવામાં આવે છે. વીર સાવરકરે આને હિન્દુત્વ કહ્યું.
સત્ય બોલ્યા હોત તો કદાચ વિભાજન ન થાત...
આટલા વર્ષો બાદ હવે આપણે જે પરિસ્થિતિ જોઇએ છીએ તો ધ્યાનમાં આવે છે કે જોરથી બોલવાની જરૂરિયાત ત્યારે હતી, બધા બોલ્યા હોત તો કદાચ વિભાજન ન થાત. વીર સાવરકરનું હિન્દુત્વ, વિવેકાનંદનું હિન્દુત્વ એવું બોલવું ફેશન થઇ ગયું, હિન્દુત્વ એક જ છે, તે પહેલાથી છે અને અંત સુધી એજ રહેશે.
મોહન ભાગવતે કહ્યું કે, સૈયદ અહમદને મુસ્લિમ અસંતોષના જનક કહેવામાં આવે છે. ઇતિહાસમાં દારા શિકોહ, અકબર થયા પરંતુ ઔરંગઝેબ પણ થયા જેમણે ઉંધી ઘંટી ચલાવી. અશફાક ઉલ્લાહ ખાને કહ્યું હતું કે, મર્યા બાદ આગામી જન્મ ભારતમાં લઇશ. આવા લોકોના નામ ગુંજવા જોઇએ.