દિલ્હીમાં ચાલી રહેલી હિંસા અને વિરોધ પ્રદર્શનો વચ્ચે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે એક મોટું નિવેદન આપ્યું છે. નાગપુરમાં ચાલી રહેલા નવ વર્ષ ૨૦૨૦ કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
દેશમાં કંઇ ઉલટું સીધું થાય તેના માટે આપણે જ જવાબદાર
ભગિની નિવેદિતાને સંઘ સુપ્રીમોએ કર્યા યાદ
કાર્યક્રમને સંબોધતા સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું કે જો આપણા દેશમાં હવે કંઇ ઊલટું સીધું થશે તો આપણે અંગ્રેજોને દોષ ન આપી શકીએ. ભાગવતે પોતાના સંબોધનમાં ડો.આંબેડકર અને ભગિની નિવેદિતાની કહેલી કેટલીક વાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.મોહન ભાગવતે કહ્યું કે હવે આપણે સ્વતંત્ર થઇ ગયા છીએ. રાજકીય દૃષ્ટિથી ખંડિત કેમ ન હોઇએ, પરતુ સ્વતંત્રતા મળી છે. આજે આપણા દેશમાં આપણું રાજ છે, પરંતુ આ સ્વતંત્રતા ટકેલી રહે અને રાજ્ય યોગ્ય રીતે ચાલતું રહે તેથી સામાજિક અનુશાસન જરૂરી છે.
મોહન ભાગવતે ભગિની નિવેદિતાને કર્યા
#WATCH RSS Chief at 'Navvarsh 2020' event in Nagpur: ...Sanvidhan pradaan karte samay Dr Ambedkar ke 2 bhaashan huye. Unhone jin baaton ko kiya wo yahi baat hai.Ab hamare desh ka jo hoga usmein hum zimmewar hain.Kuch reh gaya,ulta seedha hua toh Britishon ko dosh nahi de sakte... pic.twitter.com/ljKKRaP0yQ
ભગિની નિવેદિતાનું ઉદાહરણ આપતાં ભાગવતે કહ્યું કે આ અંગે સ્વતંત્રતા પહેલાં પૂર્વ ભગિની નિવેદિતાએ આપણને બધાને સચેત કર્યા હતા. દેશભક્તિની દૈનિક જીવનમાં અભિવ્યક્તિ નાગરિકતાના અનુશાસનનું પાલન કરવાની હોય છે. પોતાના સંબોધનમાં ભાગવતે આંબેડકરનાં ભાષણની પણ વાત કહી. તેમણે કહ્યું કે સ્વતંત્ર ભારતનું બંધારણ આપતી વખતે ડો.આંબેડકરનાં બે ભાષણ સંસદમાં થયાં હતાં. તેમાં તેમણે જે વાતોનો ઉલ્લેખ કર્યો હતો તે આ જ વાત છે. હવે આપણા દેશમાં જે કંઇ પણ થશે તેના માટે આપણે જવાબદાર છીએ. હવે કંઇ રહી ગયું, કંઇ ન થયું, કંઇક ઊલટું સીધું થયું તો બ્રિટિશોને દોષ ન આપી શકીએ. આ માટે આપણે ખૂબ જ વિચાર કરવો પડશે.
અંતમાં મોહન ભાગવતે કાર્યક્રમનું મહત્વ સમજાવતા કહ્યું કે જ્યારે ગુલામ હતા ત્યારે ચાલતા હતા એ જ રીતે હવે ચાલીશું તો નહીં ચાલે. આ નાગરિક અનુશાસન અને સામાજિક અનુશાસનની આદત આ કાર્યક્રમોથી થાય છે.