રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે એકતામાં અનેકતા, અનેકતામાં એકતા આ જ ભારતનો મૂળ સ્ત્રોત છે. મોહન ભાગવતે કહ્યું કે પૂજા પદ્ધતિ, કર્મકાંડ અલગ હોય પણ બધાએ એકજૂટ થઇને રહેવાનું છે. RSS સુપ્રીમોએ કહ્યું કે અંતરનો મતલબ અલગાવવાદ નથી.
મોહન ભાગવતે દિલ્હીમાં 'મેકીંગ ઓફ અ હિંદુ પેટ્રિએટ-બેકગ્રાઉન્ડ ઓફ ગાંધીજી હિંદ સ્વરાજ' નામના એક પુસ્તકનું વિમોચન કરતા સમયે આ અંગે નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતે કહ્યું કે અલગ થવાનો મતલબ એ નથી કે આપણે એક સમાજ, એક ધરતીના દિકરા થઇને ન રહી શકીએ.
પુસ્તકરના લોકાર્પણ પર સંઘ પ્રમુખે કહ્યું કે પુસ્તકના નામ અને મારા દ્વારા કરવામાં આવેલું તેના વિમોચનને લઇને અટકળો લાગા શકે છે આ ગાંધીજી તેમનો હિસાબ નિર્ધારિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
ગાંધજી અંગે આ એક પ્રમાણિક શોધ ગ્રંથ . પરંતુ તેના વિમોચન કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવક હોય, તેને લઇને ચર્ચા કરી શકે છે. પરંતુ એવું ના હોવું જોઇએ.
પુસ્તકરને લઇને મોહન ભાગવતે કહ્યું કે આ એક પ્રમાણિક શોધગ્રંથ છે. પરિશ્રમપૂર્વક શોધખોલ કરીને લખવામાં આવી છે. ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે મારી દેશભક્તિ મારો ધર્મમાંથી નીકળે છે. એક વાત સ્પષ્ટ છે કે હિંદુ છે તો તેના મૂળમાં પેટ્રોઅટ (દેશભક્ત) થવું જ પડશે. અહીં કોઇપણ દેશદ્રોહી નથી. મોહન ભાગવતે કહ્યું કે સ્વારાજ્ય ત્યાં સુધી તમે સમજી ના શકો જ્યાં સુધી તમે સ્વધર્મ સમજતા નથી.
મોહન ભાગવતે કહ્યું કે ગાંધીજી કહેતા હતા કે મારો ધર્મ પંથ ધર્મ નહી પરંતુ મારો ધર્મ તો સર્વ ધર્મનો ધર્મ છે. ગાંધી જી કહેતા હતા કે મારી દેશભક્તિ મારા ધર્મમાંથી નીકળે છે. હું મારો ધર્મ સમજીને સારો દેશભક્ત બનીશ અને લોકોને પણ આમ કરવા જણાવીશે. ગાંધીજીએ કહ્યું કે સ્વરાજને સમજવા માટે સ્વધર્મને સમજવો પડે.
મોહન ભાગવતે કહ્યું કે જ્યાં સુધી મનમાં ડર રહેશે કે તમારા હોવાથી મારા અસ્તિત્વને ખતરો છે અને તમને મારા હોવાથી પોતાના અસ્તિત્વ પર ખતરો લાગશે ત્યાં સુદી ડીલ તો થઇ શકશે, પરંતુ આત્મીતયતા નહીં.
મોહન ભાગવતે કહ્યું અલગ હોવાનો મતલબ એ નથી કે આપણે એક સમાજ, એક ધરતીના પુત્ર બનીને રહી ન શકીએ. સંઘપ્રમુખે કહ્યું કે એકતામાં અનેકતા, અનેકતામાં એકતા આ જ ભારતોનો મૂળ સ્ત્રોત છે.