રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે મેઘાલયના શિલોંગમાં 'વિશિષ્ટ નાગરિક સંમેલન'ને સંબોધન કર્યું હતું
RSSના વડા મોહન ભાગવતનું મેઘાલયમાં સંબોધન
પોતના ભાષણમાં હિંદુ સંસ્ક્રુતિ વિશે જણાવ્યું
હિંદુ કોઈ ધર્મ નહી પણ જીવનશૈલી છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે મેઘાલયના શિલોંગમાં 'વિશિષ્ટ નાગરિક સંમેલન'ને સંબોધન કર્યું હતું. આ બેઠકની શરૂઆત ખાસીના પરંપરાગત સ્વાગત સાથે થઈ હતી, જેમાં આરએસએસના વડાએ પરંપરાગત પોશાક પહેર્યો હતો. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે હિમાલયની દક્ષિણે, હિંદ મહાસાગરની ઉત્તરે અને સિંધુ નદીના કિનારે વસેલા લોકોને પરંપરાગત રીતે હિન્દુ કહેવામાં આવે છે. ઇસ્લામનો ફેલાવો કરનારા મુઘલો અને ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરનારા બ્રિટીશ શાસકો પહેલાં પણ હિન્દુઓનું અસ્તિત્વ હતું. હિંદુ ધર્મ નહીં, પણ જીવનશૈલી છે.
ભારતમાં રહેનાર તમામ હિંદુ છે
આરએસએસના વડાએ કહ્યું "હિન્દુ શબ્દમાં એ તમામ લોકોનો સમાવેશ થાય છે જેઓ ભારતમાતાના પુત્રો છે, ભારતીય પૂર્વજોના વંશજો છે અને જેઓ ભારતીય સંસ્કૃતિ અનુસાર જીવે છે. હિન્દુ બનવા માટે કોઈએ ધર્મ બદલવાની જરૂર નથી કારણ કે ભારતમાં દરેક વ્યક્તિ હિન્દુ છે. આપણે હિન્દુ છીએ, પરંતુ હિન્દુની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, તે આપણી ઓળખ છે. ભારતીય અને હિંદુ બંને શબ્દો સમાનાર્થી છે. ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે. તે ભૂ-સાંસ્કૃતિક ઓળખ છે. ભારત કોઈ પશ્ચિમી ખ્યાલ ધરાવતો દેશ નથી. તે પ્રાચીનકાળથી સાંસ્કૃતિક દેશ રહ્યો છે. વાસ્તવમાં આ એક એવો દેશ છે જેણે દુનિયાને માનવતાનો પાઠ ભણાવ્યો છે.
ભારતની એકતા, તેની તાકાત
સંમેલનને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યું કે, "ભારતની એકતા તેની તાકાત છે. ભારત જે વિવિધતાનો દાવો કરે છે તે ગર્વની વાત છે. સદીઓથી ચાલી આવતી ભારતની આ વિશેષતા છે. અમે હંમેશાં એક જ રહ્યા છીએ. જ્યારે આપણે તેને ભૂલી જઈએ છીએ, ત્યારે આપણે આપણી સ્વતંત્રતા ગુમાવીએ છીએ. એટલા માટે આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે એક બનીએ અને આપણા દેશને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવીએ. આપણે બધાએ આ એકતા માટે કામ કરવું પડશે. ભારત પ્રાચીનકાળથી જ પ્રાચીન રાષ્ટ્ર રહ્યું છે. ભારતે તેની સ્વતંત્રતા ગુમાવી કારણ કે તેના લોકો સંસ્કૃતિના સૂત્ર અને મૂલ્યો ભૂલી ગયા હતા.
ભાગવતે મુસ્લિમો સાથે બેઠકો કરી
ભાગવતે શનિવાર અને રવિવારે અહીં સંઘના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની શ્રેણીબદ્ધ બેઠકોમાં ભાગ લીધો હતો. મેઘાલય ખ્રિસ્તી બહુમતી ધરાવતું રાજ્ય છે. તેથી, આરએસએસ પ્રમુખની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ભાગવતની મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સતત મુસ્લિમ બુદ્ધિજીવીઓને મળી રહ્યા છે. હાલમાં જ તેમણે ઈમામોને મળવા મસ્જિદની મુલાકાત પણ લીધી હતી અને મદરેસામાં જઈને બાળકોને મળ્યા હતા. તેમણે ઓલ ઇન્ડિયા મુસ્લિમ ઇમામ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય ઇમામ ઉમર અહેમદ ઇલિયાસી સાથે મુલાકાત કરી હતી.