રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે કહ્યું કે આર્ટિકલ 370 હટાવાયા બાદ જમ્મૂ કાશ્મીરના લોકોનો નોકરી અને જમીન છીનવાઇ જવાનો ડર ખતમ કરવો જોઇએ. મોહન ભાગવતે વિદેશી મીડિયાકર્મીઓ સાથે સંવાદમાં આમ નિવેદન આપ્યું.
જમ્મૂ કાશ્મીરના લોકોની નોકરી અને જમીન છીનવાઇ જવાનો ડર ખતમ કરવો જોઇએ
સ્વયંસેવક જો દોષિત જોવા મળે તો, સંગઠનથી અલગ કરાશે : ભાગવત
સ્વયંસેવક મોબ લિન્ચિંગની ઘટના રોકે : ભાગવત
એમણે કહ્યું કે 'કાશ્મીરી પહેલા અલગ-અલગ હતા. પરંતુ આર્ટિકલ 370ની જોગવાઇને દૂર કરવાથી એમની અને રાષ્ટ્રના બાકી ભાગ વચ્ચે જે અંતર હતું તે હવે ખતમ થઇ ચૂક્યું છે. RSSએ એક નિવેદન જાહેર કરી કહ્યું, 'સરસંઘચાલક નિશ્ચિત સમયગાળા માટે સમાજના અલગ-અલગ વર્ગો સાથે વાર્તાલાપ કરી વિચારોનું આદાન પ્રદાન કરે છે.
એમણે વિદેશી મીડિયાના પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આર્ટિકલ 370ને હટાવાયા બાદ જમ્મૂ કાશ્મીરના લોકોને તેમની નોકરી અને જમીન છીનવાઇ જવાનો ડર ખતમ કરવો જોઇએ.'
પત્રકારો સાથે સવાલોના જવાબ દરમિયાન ભીડ દ્વારા માર મારી હત્યા કરવાની ઘટના (મોબ લિન્ચિંગ) પરના એક સવાલના જવાબમાં ભાગવતે કહ્યું કે, એમણે આ પ્રકારની ઘટનાઓની કડક નિંદા કરે છે. અને સ્વયંસેવકોને જ્યાં પણ આવી ઘટનાઓ બનતી હોય તેને રોકવી જોઇએ.
એમણે કહ્યું કે, જો કોઇ સ્વયંસેવક આવી હિંસક ઘટનાઓમાં દોષિત જોવા મળે છે કે, ત્યારે તેને સંગઠનથી અગલ કરવામાં આવશે અને ત્યારબાદ કાનૂન પોતાનું કામ કરશે.