RSS ના સંઘચાલક મોહન ભાગવત ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે, ત્યારે તેઓ બે દિવસ સુરતમાં રોકાણ કરવાના છે
RSSના વડા મોહન ભાગવત સુરતની મુલાકાતે
સુરતમાં બે દિવસ મોહન ભાગવત કરશે રોકાણ
પ્રબુદ્ધ નાગરિક ગોષ્ટીમાં કરશે સંબોધન
RSS ના સંઘચાલક મોહન ભાગવત ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે, ત્યારે તેઓ બે દિવસ સુરતમાં રોકાણ કરવાના છે, ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફાર થયા બાદ તેઓની આ પ્રથમ ગુજરાત મુલાકાતે છે ત્યારે સુરત શહેર ભાજપના આગેવાનો મોહન ભાગવતની મુલાકાત લે તેવું મનાઈ રહ્યું છે. મોહન ભાગવત સુરતમાં પ્રબુદ્ધ નાગરિક ગોષ્ટીમાં સંબોધન કરશે.
સુરતમાં બે દિવસ મોહન ભાગવત કરશે રોકાણ
ગુજરાતને રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં થયેલા ફેરફાર બાદ ભાગવતની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જેને પગલે ભાજપે સંગઠનમાં મોટા પાયે ફેરફારો કર્યા છે.
સુરતમાં બે દિવસ મોહન ભાગવત કરશે રોકાણ
મહત્વનું છે કે ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાથી લઈને મુખ્યમંત્રી સુધીના ફેરફારો બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા મોહન ભાગવતની આ મુલાકાત મહત્વની માનવમાં આવી રહી છે. આ પહેલા મોહન ભાગવત ગત જાન્યુઆરીમાં પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મોહન ભાગવતે સ્વામિનારાયણ ગુરૂકુળની મુલાકાત લીધી હતી. તેમજ સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.