આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન દરમિયાન કહ્યું 'ભારત એક હિંદૂ રાષ્ટ્ર છે.' હિંદુત્વનો ઉલ્લેખ કરતાં આરએસએસ પ્રમુખે હનુમાન, શિવાજી અને આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારના નામ એક શ્વાસમાં લીધા.
મોહન ભાગવતે દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન દરમિયાન આશ્ચર્ય કરનારી જાહેરાત કરી
ભારતને પોતાની માતૃભૂમિ માનનાર અને એને પ્રેમ કરનાર એક પણ વ્યક્તિ જીવીત છે, ત્યાં સુધી હિંદુ જીવીત છે
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન દરમિયાન આશ્ચર્ય કરનારી જાહેરાત કરી છે કે ભારત એક હિંદૂ રાષ્ટ્ર છે. ભાગવતે જાહેરાત કરી, 'અમે બધું બદલી શકીએ છીએ. તમામ વિચારધારાઓ બદલી શકાય છે, પરંતુ માત્ર એક ચીજ ના બદલી શકાય, એ એવી છે કે 'ભારત એક હિંદૂ રાષ્ટ્ર છે.' હિંદુત્વનો ઉલ્લેખ કરતાં આરએસએસ પ્રમુખે હનુમાન, શિવાજી અને આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારના નામ એક શ્વાસમાં લીધા.
હિંદૂ રાષ્ટ્રના દાવા છતાં સંસ્થાના પ્રમુખ સમલૈગિકતા પર વાત કરીએ છીએ તો લાગે છે કે આરએસએસ પોતાની ગંભીર છાપ બદલવામાં લાગેલું છે. મોહન ભાગવતે કહ્યું, 'મહાભારત, પ્રાચીન સેનાઓમાં ઉદાહરણ રહ્યા, વેદોમાં નથી. આ પહેલી તક નથી, જ્યારે ભાગવતે સમલૈંગિતા પર સંઘના વલણમાં બદલાવના સંકેત આપ્યા છે. એમને 2018માં ત્રણ દિવસીય મહાઆયોજન 'ભારતનું ભવિષ્ય આરએસએસનું દ્રષ્ટિકોણ' દરમિયાન કહ્યું હતું કે સમલૈંગિક છે અને સમાજે સમય સાથે બદલવાની જરૂર છે.
આરએસએસ દ્વારા કોઇ વાદ પર ચાલવાની વાતને સ્પષ્ટ ના પાડતા એમના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે દાવો કર્યો કે સંગઠનમાં એક જ વિચારધારા સતત રૂપથી ચાલતી આવી છે જે 'ભારત ભૂમિની ભક્તિ' કરે છે, એ 'હિન્દૂ' છે.
સંઘ દ્વારા માત્ર હિંદુઓની વાત કરવાનો દાવા તરફ પરોક્ષ કરતાં એમને કહ્યું,
'અમે હિંદૂ બનાવ્યા નથી. આ હજારો વર્ષોથી ચાલતુ આવ્યું છે. એમને કહ્યું કે ભારતને પોતાની માતૃભૂમિ માનનાર અને એને પ્રેમ કરનાર એક પણ વ્યક્તિ જીવીત છે, ત્યાં સુધી હિંદુ જીવીત છે. અમે બહારથી આવેલા લોકોને પણ સ્વિકાર્યા છે. અમે બધાને આપણા જ માનીએ છીએ.