રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ ડો. મોહન ભાગવતે ભારતને વિશ્વ ગુરુ બનાવવાની દિશામાં બધાને સાથે લઈને આગળ વધવાનું આહ્વાન કર્યુ છે.
ડો. મોહન ભાગવતે સંગઠનની શક્તિ પર ભાર મૂક્યો
ભાગવતે ભારતને વિશ્વ ગુરુ બનાવવાની દિશામાં બધાને સાથે લઈને આગળ વધવાનું આહ્વાન કર્યુ
સત્યની હંમેશા જીત થાય છે-ભાગવત
ડો. મોહન ભાગવતે સંગઠનની શક્તિ પર ભાર મૂક્યો
ભારતે હાલના સમયને કળયુગ ગણાવતા સંગઠનની શક્તિ પર ભાર મૂક્યો છે. ડો. ભાગવતે છત્તીસગઢના મુંગેલી જિલ્લાના મદકુ દ્વીપ પર આયોજિત 3 દિવસીય ઘોષ શિવિર એટલે કે મ્યૂઝિક બેન્ડ કેમ્પના સમાપન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. ડો. ભાગવતે કહ્યું કે ભારતીય સમાજ વિવિધતાઓથી ભરેલો છે. પરંતુ તમામનો સાથ લઈને આગળ જવું જોઈએ. જે અનેક સદીઓથી ચાલતું આવ્યું છે. ભાગવતે કહ્યું કે હિંદુ ધર્મની શિક્ષા સમગ્ર દુનિયાને આપવાની જરુર છે. પરંતુ કોઈને બદલવાના પ્રયાસ વગર.
આપણે ધર્માંતરણનો પ્રયાસ કર્યા વગર દુનિયાને એક રીત શીખવવી પડશે
ભાગવતે કહ્યું કે જે નબળા છે તેમનું શોષણ થાય છે. તેમણે વિવેકાનંદનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે કહ્યું કે નબળાઈ પાપ છે. શક્તિનો અર્થ છે કે સંગઠિત રીતથી જીવવું. એકલો વ્યક્તિ મજબૂત ન બની શકે. કળયુગમાં સંગઠનને જ શક્તિ માનવામાં આવે છે. આપણે બધાને એક સાથે લઈને ચાલવું પડશે કોઈને બદલ્યા વગર. ભારત એક ધાર્મિક દેશ છે અને તેણે દુનિયાને સત્યનો રસ્તો બતાવ્યો છે. આપણો ધર્મ જેને લોકો હિંદુ ધર્મ કહે છે. સમગ્ર દુનિયાને આપવાની જરુર છે. આપણે ધર્માંતરણનો પ્રયાસ કર્યા વગર દુનિયાને એક રીત શીખવવી પડશે. જે પૂજા નથી. બલ્કે જીવવાની રીત છે.
#WATCH | We don't have to convert anyone but teach how to live. We were born in the land of Bharat to give such a lesson to the whole world. Our sect makes good human beings without changing anyone’s worship system: RSS Chief Mohan Bhagwat at a Ghosh Shivir, in Chhattisgarh pic.twitter.com/bgynm5gNVX
કાર્યક્રમમાં સંગીત બેન્ડની પ્રસ્તુતિ કરી ડો. ભાગવતે તેમને બિરદાવતા કહ્યું કે તમને લોકોને આ શિબિરમાં જોયું કે દરેક એક અલગ વાધ્ય વગાળી રહ્યા હતા. તેઓ તેને એક જૂથ રાખતા હતા. તે હતી તેમની ધૂન. દેશમાં વિભિન્ન ભાષાઓ, પ્રાંત છે. પરંતુ આપણા મૂળમાં એક જ ધૂન છે. જે કોઈ પણ ધૂનને બગાડવાનો પ્રયાસ કરશે, તે દેશના લયથી નક્કી થશે. ભાગવતનું કહેવું છે કે ભારતે વિશ્વ ગુરુ બનાવવા માટે સમન્વયની સાથે આગળ વધવાની જરુર છે. સત્યની હંમેશા જીત થાય છે. ભારતના લોકોને દુનિયામાં વિશેષ માનવામાં આવે છે કેમ કે પ્રાચીન કાળમાં આપણા સંતોએ સત્યને ઓળખ્યું હતુ. આપણે ઈતિહાસ જોઈએ તો દેખિયે છીએ કે જ્યારે કોઈ (દેશ) ઠોકર ખાઈ ગયુ. ભ્રમિત થઈ ગયું તો તે રસ્તો શોધવા ભારત આવ્યું.
આપણા પૂર્વજોએ સમગ્ર દુનિયામાં ગણિત અને આયુર્વેદ જેવા જ્ઞાન અને કન્સેપ્ટનો પ્રસાર કર્યો
ભાગવતે કહ્યું કે આપણા પૂર્વજોએ સમગ્ર દુનિયાને એક પરિવાર માન્યો. કોઈ ઓળખ બદલવાનો પ્રયાસ કર્યા વગર દુનિયાનો પ્રવાસ કર્યો. ગણિત અને આયુર્વેદ જેવા જ્ઞાન અને કન્સેપ્ટનો પ્રસાર કર્યો. ચીન પણ એ કહેતા અચકાતું નથી કે ભારતે 2000 વર્ષ પહેલા તેમની સંસ્કૃતિ પર અસર છોડી હતી. આપણે તે સંતોના વંશજો છીએ. તે સત્યને જાણે છે.