સરસંઘસંચાલક મોહન ભાગવતે પૂણે ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતના મુસ્લિમોએ ડરવાની જરૂર નથી. ભારતના હિન્દુઓ અને મુસ્લમનોના પૂર્વજો એક જ હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સરસંઘસંચાલક મોહન ભાગવતે કહ્યું છે કે હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો સમાન હતા અને દરેક ભારતીય 'હિંદુ' છે. પુણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે સોમવારે કહ્યું હતું કે "સમજદાર" મુસ્લિમ નેતાઓએ ઉગ્રવાદીઓ સામે અડગ રહેવું જોઈએ.
તેમણે કહ્યું, “હિન્દુ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિની સમકક્ષ છે. તે અન્ય વિચારધારાઓ માટે અપમાનજનક નથી. આપણે મુસ્લિમ સર્વોપરિતા વિશે નહીં, પરંતુ ભારતીય સર્વોપરિતા વિશે વિચારવું પડશે. ”ભાગવતે કહ્યું કે ભારતના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ.
તેમણે કહ્યું, "ઇસ્લામ આક્રમણકારો સાથે આવ્યો. આ ઇતિહાસ છે અને જેમ છે તેમ કહેવું જોઈએ. સમજદાર મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ ટાળવો જોઈએ અને કટ્ટરવાદીઓ અને ઉગ્રવાદીઓ સામે અડગ રહેવું જોઈએ. જેટલું વહેલું આ કરીશું, સમાજને ઓછું નુકસાન થશે.
આરએસએસના વડાએ કહ્યું કે, મહાસત્તા તરીકે ભારત કોઈને ડરાવશે નહીં. "હિન્દુ શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજ અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસા સમાન છે અને દરેક ભારતીય હિંદુ છે," તેમણે કહ્યું હતું કે 'નેશન ફર્સ્ટ અને નેશન સુપ્રીમ' આઅ જ આપણી નીતિ હોવી જોઈએ.
કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીરના ચાન્સેલર, લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન (નિવૃત્ત) પણ સેમિનારમાં હાજર રહ્યા હતા. ખાને કહ્યું કે અનેક વિવિધતાથી સમૃદ્ધ સમાજનું નિર્માણ થતું હોય છે. ભારતીય સંસ્કૃતિ બધાને સમાન સમજે છે. હસનેને કહ્યું હતું કે મુસ્લિમ બુદ્ધિજીવિઓને ભારતના મુસલમાનોને ટાર્ગેટ કરીને પાકિસ્તાનના પ્રયત્નો નિષ્ફળ બનાવવા જોઈએ.