ગીર-સોમનાથ: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના ભૌયાજી જોષી સોમનાથ મહાદેવ મંદિરે આવી પહોંચ્યા છે. મહત્વનું છે કે RSS સંઘની ત્રિ-દિવસીય બેઠક સોમનાથ મહાદેવ મંદિરના પરિષરમાં ચાલી રહી છે ત્યારે આ બેઠકમાં હાજરી આપવા માટે ભૈયાજી જોષી ગુજરાતના સોમનાથ મંદિરમાં આવી પહોંચ્યા હતો. જ્યા તેમણે સોમનાથ મહાદેવને જળાભિષેક કરીને સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ સંઘની બેઠકમાં ભૈયાજી જોષી ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે સતત ચોથી વખત RSSના ચોથી વખત સંઘના સરકાર્યવાહ તરીકે વરણી થયા છે. હાલ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં RSSની ત્રિ-દીવસીય બેઠકનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિગ્ગજ પદાધિકારીઓ હાજર રહ્યા છે.
આપને જણાવી દઇએ કે ભારતના અગ્રગણ્ય હિંદુત્વવાદી સંસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સોમનાથ ખાતે ત્રણ દાયકાથી વધુ સમય બાદ રાષ્ટ્રીય કારોબારી યોજવામા આવી રહી છે ત્યારે આ દેશભરના પ્રાંતપ્રચારકો અને દિગ્ગજ નેતાઓ આ બેઠક પહેલા સંઘના વડા મોહન ભાગવત આજ રોજ સોમનાથ આવી પહોંચ્યા છે અને અહીં સરસંઘચાલકને સંસ્થાના વડા કેશુભાઈ પટેલે આવકાર્યા હતા.