દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ફરી એક વખત ભાજપ સરકારનો એજન્ડા નક્કી કર્યો છે. આ એજંડા હેઠળ સંઘના વરિષ્ઠ પ્રચારકો આગામી મહિનેથી મેદાનમાં ઉતરશે. ભાજપના નેતા આયોજન સચિવો તેની પેટાક સંસ્થાઓ અને હરિયાણાના સૂરજકુંડ ખાતે વિવિધ નેતાઓ દ્વારા મિશન-2019નો એજંડા નક્કી કરવામાં આવી રહ્યો છે. આ મામલે શનિવાર ભાજપના અધ્યક્ષ અમિત શાહને આ રણનીતિ અંગેની જાણકારી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બેઠકમાં સામેલ થયેલ એક પ્રતિનિધીના જણાવ્યાનુસાર સંઘ સરકારની યોજનાઓથી સંતુષ્ટ છે પરંતુ આર્થિક ક્ષેત્ર યોજનાઓનું ન અમલી બનવું દલિતોના મોટા હિસ્સામાં બની રહેલા પાર્ટી વિરોધી ધરણા અને મધ્યવર્ગના મોરચાની સ્થિતીને લીધે હાલ ચિંતા છે. આ તમામ બાબતો સંગઠન મંત્રી અને અનુષાંગિક સંગઠનો દ્વારા મળેલ પ્રતિભાવોથી સામે આવેલ છે.
આપને જણાવી દઇએ કે 2019ની ચૂંટી નજીક આવી રહી છે ત્યારે અત્યારથી જ રણનીતિ નક્કી કરવા માટે મહામંથન કરવામાં આવી રહ્યું છે તાજેતરમાં કર્ણાટકમાં ભાજપને મળેલ પરાજય અને ત્યારબાદ કુમારસ્વામીના પદગ્રહણ સમારોહમાં વિપક્ષી દળોનું એક સ્ટેજ પર સાથે જોવા મળવું 2019માં ભાજપ સરકાર માટે લોઢાના ચણા ચાવવા જેવી બાબત બનીને રહેશે.
ઉલ્લેખનીય છે કે દેશના પ્રધાનમંત્રી દ્વારા ગતરોજ સંઘના અને ભાજપના દિગ્ગજ નેતાઓ માટે એક ખાસ ડિનરનું આયોજન કરવામાં આવેલ. આ ભોજનસમારંભમાં આગામી લોકસભાની ચૂંટણીને લઇને ખાસ મહામંથન કરવામાં આવ્યું હોવાની શંકા સેવાઇ રહી છે.