ફટાફટ અપડેટ કરો આ ડોક્યુમેન્ટ: નહિતર અટકી જશે રૂપિયા
ભૂલ હોય તો ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે કરી શકો છે ચેક
અત્યાર સુધી આ યોજના થકી 2 હજાર રૂપિયાના 8 હપ્તા ખેડૂતોના ખાતા જમા કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે તમે તમારા આવેદનના સ્ટેટસને એક વખત ચેક કરી લેજો. ઘણા બધા ખેડૂતો છે જેને હજુ સુધી એક પણ હપ્તો મળ્યો નથી પણ તેમને યોજનાની શરૂઆતથી જ આવેદન કરી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલા કેટલાક સૂચનોમાં, PFMS ફંડ ટ્રાન્સફરમાં ઘણી બધી ભૂલોને કારણે ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ જમા થઈ રહી નથી.
જો આવેદનમાં હશે આ ભૂલ તો નહીં મળે 2000 1 આવેદનમાં ખેડૂતનું નામ 'ENGLISH' હોવું જરૂરી છે. આથી જે ખેડૂતનું નામ હિન્દી કે અન્ય ભાષામાં છે તે નામ ENGLISH'માં કરાવી નાખે. 2 આવેદન કરનારનું નામ અને બઁક ખાતા પ્રમાણેનું નામ સરખું હોવું જરૂરી છે. જો આ ભૂલ આવે તો ખેડૂત બૅન્કમાં જઈ તેના આધાર પ્રમાણે આવેદનમાં આપેલ નામ કરાવી નાખે. 3 બૅન્કનો IFSC કોડ લખવામાં ભૂલ ન થઈ હોવી જોઈએ 4 બૅન્કનો ખાતા નંબર સાચો લખેલો હોવો જોઈએ 5 ખેડૂત તેના રહેઠાણનું સરનામું બરાબર ચેક કરી લે કારણ કે ગામના નામમાં ભૂલ ન હોવી જોઈએ 6 જો ઉપર પ્રમાણે તમારા આવેદનમાં કોઈ ભૂલ હોય તો તમારા ખાતામાં 2 હજાર રૂપિયાનો હપ્તો આવશે નહીં. આ ખામીને દૂર કરવા આધાર કાર્ડની વિગત સાચી હોવી જરૂરી છે. આધાર કાર્ડમાં જો કોઈ ભૂલ હોય તો ખેડૂત નજીકના CSC/વસુધા કેન્દ્ર / સહજ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે.
ઓનલાઈન પણ ઠીક થઈ શકે છે ભૂલ 1 આ માટે સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે. 2 હવે તમે ટોચ પર એક લિંક ફોર્મર્સ કોર્નર જોશો. ત્યાં ક્લિક કરો. 3 પછી આધાર એડિટનું ઓપ્શન જોવા મળશે ત્યાં ક્લિક કરો. 4 હવે તમારી સામે એક પેજ ખુલશે, તેમાં તમે તમારો આધાર નંબર સુધારી શકો છો. 5 જો આ સિવાય તમે ખાતાની સંખ્યા લખવામાં જો કોઈ ભૂલ કરી છે તો અને તેને સુધારવા માંગો છો તો કૃષિ વિભાગના કાર્યાલયના કર્મચારીનો સંપર્ક કરવો જરૂરી છે. પણ આ ભૂલના સુધારા માટે તમારે ત્યાં રૂબરૂ પડશે.