જેના પરિણામસ્વરૂપ માર્કેટ પર પણ અસર પડશે અને અર્થવ્યવસ્થાને નુકસાન થશે. એવામાં કંપનીઓના કામ કરવાની રીતમાં સામે આવનારી મુશ્કેલીને પણ ધ્યાનમાં રાખવી પડશે. આવી સ્થિતિમાં કંપનીઓ પર નાદારી હોવાના ખતરો વધી જાય છે. આ સાથે જ રિજ્યોલ્યુશન પ્રોફેશન્લસને મોટા પાયે સમસ્યા થશે. આ કારણ છે કે આ કોડના સેકશન 7, 9 અને 10ને સસ્પેંડ કરી દેવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂનમાં જ કેન્દ્ર સરકારે એક અધ્યાદેશ દ્વારા અક્ષમતા અને નાદારી કોડ (IBC - Insolvency and Bankruptcy Code) માં ફેરફાર કર્યો હતો. આ સંશોધન પછી કોવિડ-19 મહામારીના કારણે જે કંપનીઓએ નાદારી નોંધાવી છે, તેને તેમના લેંડર્સ (લોન આપનાર બેંક કે કંપની) IBC (કોર્ટ)માં નહી લઇ જઇ શકે. સરકારે અધ્યાદેશ દ્વારા IBC ના સેકશન 7, 9 અને 10ને હાલમાં સસ્પેંડ કરી દીધો છે.
સરળ ભાષામાં સમજીએ તો પોતાના વેપાર ચલાવવા માટે બેંક પાસેથી લોન લીધુ છે અને લોન નહીં ચૂકવવાના કારણે જો તમને ડર લાગે છે કે જો તમારી પર IBCની હેઠળ કાર્યવાહી ન થઇ જાય તો તેને લઇને સગવડ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે નાદારીથી સંબંધિત એક નવા અધ્યાદેશને લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે.
શું છે આઇબીસી
અક્ષમતા અને નાદારી કોડ હેઠળ લોન ન ચૂકવનારા બાકી લેણદારો પાસેથી નિયત સમયની અંદર લોન પરત કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રયત્નથી બેંકોની આર્થિક સ્થિતિમાં કેટલી હદ સુધી સુધાર જરૂર થયો છે.
શું છે આ બિલનો મતલબ?
આ હેઠલ, 25 માર્ચ 2020 પછી આવતા 6 મહીના અથવા 1 વર્ષ સુધી કોઇપણ કંપની સામે CIRP લાગુ કરી શકાતું નથી એટલે IBCમાં લઇને જઇ શકશે નહીં. સરકારે આ પ્રક્રિયા પર અત્યારે એટલા માટે રોક લગાવી છે કારણ કે અત્યારે ડિફોલ્ટ કરનારી કંપનીઓની સંખ્યા વધારે છે. ડિફોલ્ટ કરનારી કંપની પર સેકશન 10 A 25 માર્ચથી આવનારા છ મહીના અથવા 1 વર્ષ સુધી લાગૂ નહી થાય.