ફક્ત 87 રૂપિયામાં શું મળતું હશે? એક બર્ગર મળી શકે. પરંતુ ઈટલીમાં ફક્ત 87 રૂપિયામાં ઘર પણ મળે છે. રસપ્રદ વાતતો એ છે કે આ ઘરનું વેચાણ ઈટલીની રાજધાની રોમની પાસે થઈ રહ્યું છે. એવામાં નવી જગ્યા પર જઈને નવેસરથી જીવનની શરૂઆત કરવા માટે લોકો પાસે આ શાનદાર તક છે. રિપોર્ટ અનુસાર મેન્ઝા શહેર હવે એક યુરોમાં ઘરનું વેચાણ શરૂ કરનાર પહેલું શહેર બની ગયું છે.
કયા કારણે વેચાઈ રહ્યા છે આટલા સસ્તા ઘર?
સસ્તા ઘર વેચવાનો હેતુ ગામને ફરી વસાવવા અને દૂરના વિસ્તારોમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનું છે. પરંતુ અત્યાર સુધી જો લોકો રોમની આસપાસ ઘર ખરીદવા માંગતા હોય તો તેમની પાસે ઓછા વિકલ્પ હતા. આવનાર સમયમાં ઈટલીના લેટિયમ વિસ્તારની ઘણી ખાલી પડેલી ઝોપડીઓને વેચવાની યોજના છે. પહેલા અમુક ઘરેના વેચાણની અરજી 28 ઓગસ્ટે બંધ થઈ ગઈ હતી. ઘર ખરીદવા માંગતા લોકોને ટૂંક સમયમાં જ બીજા વધુ ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મેયર ક્લાઉડિયો સ્પરદુતીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે અમે એક સમયમાં એક પગલું ભરી રહ્યા છીએ. જેવો મુળ પરિવાર સંપર્કમાં આવે છે અને અમે પોતાના જુના ઘર સોંપીએ છીએ. અમે પોતાની વેબસાઈટ પર ખાસ સાર્વજનિક નોટિસના માધ્યમથી બજારમાં મુકીએ છીએ. જેથી આ બધુ ખૂબ પારદર્શી થઈ શકે.
કઈ રીતે ખરીદશો ઘર?
રોમના પ્રાચીન મધ્યયુગીન ગામને છોડીને લોકો જતા રહ્યા છે જેને ફરી વસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તાર રોમથી લગભગ 70 કિમી દક્ષિણ-પૂર્વમાં છે. જે લોકો મેન્ઝામાં ઘર ખરીદવા માંગે છે તેમને ત્રણમાં પ્રોપર્ટી રીસ્ટોર કરવા માટે જમા ગેરેન્ટીના રૂપમાં 5,000 યુરોની ચુકવણી કરવાની રહેશે. જે નવીનીકરણ પુરુ થયા બાદ પરત આપી દેવામાં આવશે.
જોકે ઘર ખરદનારને તેમના દ્વારા ખરીદવામાં આવેલા ઘરોમાં રહેવાની જરૂર નથી. તેમને શહેરમાં વિસ્તૃત પ્રોજેક્ટ રજૂ કરવાના રહેશે. પોતાની સંપત્તિનો ઉપયોગ કઈ રીતે કરવો તેની યોજના બનાવવાની રહેશે.