રિઝર્વ બેંકે કેશની લેણદેણને સામાન્ય કરવા માટે 500 રૂપિયાના નોટોનું પ્રિન્ટિંગ વધારી દીધું છે. તો બીજી બાજુ 2000 રૂપિયાની નવી નોટ હવે જારી કરવામાં આવી રહી નથી. સિસ્ટમમાં આશરે 7 લાખ કરોડ રૂપિયા 2000ની નોટમાં ઉપલબ્ધ છે. ભારતમાં લેણદેણ માટે 500 200 અને 100 રૂપિયાની કરન્સી સરળતાથી ઉપલબ્ધ છે. વધારે ડિમાન્ડ પૂરી કરવા માટે 500 રૂપિયાની નોટમાં રોજ આશરે 3000 કરોડ રૂપિયા છાપવામાં આવી છે. દેશમાં હવે કેશની સ્થિતિ પહેલા કરતાં સારી છે. બીજી બાજુ વ્યાજ દરોમાં તેજી આવ્યાની આશાઓ પર ગર્ગે કહ્યું કે ઇકોનોમીના ફંડામેન્ટલ હજુ એવા નથી કે વ્યાજદરોમાં વધારો કરવામાં આવે. આ સમયે મોંઘવારીમાં પણ કોઇ બેમેલ વૃદ્ધિ નથી અથવા ઉત્પાદનમાં વધારે ગ્રોથ આવ્યો નથી.
નોંધનીય છે કે હાલમાં સર્કુલેશનમાં 2000 રૂપિયા નોટની નજીક આશરે 7 લાખ કરોજ રૂપિયા છે. જે પૂરતી છે. એટલા માટે 2000ની નવી નોટ જારી કરવામાં આવી રહી નથી. 500 200 અને 100 રૂપિયાની નોટ લોકો સાથે લેણદેણ માટે ઉપલબ્ધ છે. 2000 રૂપિયામાં લેણદેણ કરવી લોકો માટે સરળ નથી. 500 રૂપિયાની નોટનું પૂરતું સપ્લાય છે. એનું પ્રોડક્શન અમે વધારીને આશરે 2500-3000 કરોડ રૂપિયા દરરોજ કર્યું છે.
ગર્ગે જણાવ્યું કે છેલ્લા અઢી વર્ષમાં દેશમાં હાઇ ક્વોલિટી નકલી નોટોની મોજૂદગી ખૂબ ઓછી રહી છે પરંતુ તેમ છતાં RBI સતત સમીક્ષા કરી રહ્યું છે અને કરન્સી નોટોમાં નવા ફીચર જોડી રહ્યું છે.