કચ્છ જિલ્લાને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવા માટે રૂપિયા 4,369 કરોડના ફેઝ એકના કામની મંજૂરી આપી છે.
કચ્છને મળશે નર્મદાના નીર
રાજ્ય સરકારે કરી જાહેરાત
પુરનું વહી જતું પાણી કચ્છ પહોંચાડાશે
પુરનું વહી જતું પાણી કચ્છ પહોંચાડાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1નાં કામો માટે રૂપિયા 4369 કરોડનાં કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીનાં ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા લિંકનું આયોજન કરાયું છે.
6 તાલુકા અને 77 ગામોને સિંચાઇનો લાભ મળશે
આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છનાં મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના 77 ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. એટલું જ નહીં પરંતુ અંદાજે 2 લાખ 81 હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.