રાજ્યમાં આઉટ સોર્સિંગ મામલે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. આઉટ સોર્સિંગ મારફતે દર મહિને 400 કરોડનું કૌભાંડ થતું હોવાની વાત સામે આવી છે. સરકારે દર મહિને 1,200 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવે છે 1,200 કરોડમાંથી 400 કરોડનો ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે કેવી રીતે થાય છે સરકારની છત્રછાયામાં કૌભાંડ?
આઉટ સોર્સિંગ મારફતે દર મહિને 400 કરોડનું કૌભાંડ
સરકારે દર મહિને 1200 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવે છે
1200 કરોડમાંથી 400 કરોડનો ભ્રષ્ટાચાર થાય છે
આઉટ સોર્સિંગમાં ભ્રષ્ટાચાર માત્ર લાખ, 10 લાખ, કરોડ કે, 10 કરોડનું નહીં પરંતુ હજારો કરોડનો છે. રાજ્યમાં 8 લાખ કર્મચારીઓ આઉટ સોર્સિંગમાં કામ કરે છે. વર્ગ 4ના કર્મચારીને 15,082 સરકાર ચૂકવે છે. કોન્ટ્રાક્ટ એજન્સીઓ કર્મચારીઓને માત્ર 7 હજાર ચુકવ્યા છે. નર્સિંગ સ્ટાફને સરકાર 20 હજારથી વધુ ચૂકવે છે. કોન્ટ્રાક્ટ એજન્સીઓ નર્સિંગ કર્મચારીઓને માત્ર 12 હજાર ચૂકવે છે.
રાજ્યમાં 10 જેટલી મોટી એજન્સીઓ પાસે સૌથી વધુ કોન્ટ્રાક્ટ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રાજ્યમાં 150થી વધુ કોન્ટ્રાક્ટ કંપનીઓ અસ્તિત્વમાં છે PF માટે કર્મચારીના પુરેપુરા નાણાં આપવામાં આવે છે. એજન્સીઓ માત્ર 10 ટકા જ નાણાં PFમાં ચૂકવે છે. મહિલા કર્મચારીઓને અપાતું મોંઘવારી ભથ્થુ પણ નથી ચુકવાતું.
ત્યારે રાજ્યમાં આઉટ સોર્સિંગના કેટલાક સવાલો VTVના કાર્યક્રમ મહામંથનમાં ઉઠાવવામાં આવ્યા છે. જુઓ સમગ્ર ડિબેટ...