શહેરમાં એટીએમમાં કેશ લોડ કરનાર કંપનીના પાંચ કર્મચારીએ (કસ્ટોડિયન) રૂ ૩.૯૧ કરોડ ઘર ભેગા કર્યા હોવાનો ચોંકાવનારો મામલો બહાર આવ્યો છે.
ATM મેન્ટેનન્સ કંપનીના કર્મચારી દ્વારા કૌભાંડ
પાંચેય કર્મચારીએ મળીને કરી છેતરપિંડી
3 ATMમાં રોકડ રકમની ભૂલ
મુંબઈના શાહીસિદ્ધિમાં રહેતા અને લોજીકેશ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સિક્યોરિટી મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેશભાઇ નાલાવાડેએ વટવા પોલીસ સ્ટેશનમાં તેમની જ કંપનીમાં કામ કરતા પાંચ કર્મચારીઓ વિરુદ્ધમાં ૩.૯૧ કરોડ રૂપિયાની ઉચાપત કરવાની ફરિયાદ કરી છે. તેમની કંપની ભારતમાં આવેલ સરકારી બેન્ક તેમજ ખાનગી બેન્કનાં એટીએમમાં રૂપિયા મૂકવાનું તેમજ તેનો રોજેરોજનો હિસાબ બેન્કમાં જમા કરાવવાનું અને એટીએમ િરપેિરંગ કરવાનું કામ કરે છે.
ATM મેન્ટેનન્સ કંપનીના કર્મચારી દ્વારા કૌભાંડ
આ કંપનીની સહજાનંદ કોલેજની પાછળ જનઆશ્રમ સોસાયટીમાં ગુજરાતની મુખ્ય બ્રાન્ચ આવેલી છે અને આ બ્રાન્ચના હેડ અનુરાગ પાંડે છે તેમજ બ્રાન્ચમાં જે તે બેન્કની કેશ લઈને એટીએમ સુધી લોડિંગ કરવાનું તથા એટીએમનું મેન્ટેનન્સ કરવાના કામકાજ માટે કંપનીએ કસ્ટોડિયન તરીકે અરુણ દુબે (રહે. ૬૮૪, જનતાનગર વિકાસ સ્પૂન પાસે, રામોલ), નિશાંત મિશ્રા (રહે. ગજાનંદપાર્ક, વટવા), સંજીવ શિખરવાલ (રહે. શાંતિનગર, મેઘાણીનગર), ચંદ્રપ્રકાશ શર્મા (રહે. ઉષાકિરણ સોસાયટી, મહાદેવનગર) અને કિશન મકવાણા (રહે. વણકરવાસ, વડગામ ) ફરજ બજાવે છે.
3 ATMમાં રોકડ રકમની ભૂલ
તા.ર૧ ઓક્ટોબરના રોજ શૈલેશભાઇની કંપનીમાં મુંબઈ ખાતેની બેન્ક ઓફ ઈન્ડિયાની હેડ ઓફિસ દ્વારા ટ્રાન્જેક્શન સોલ્યુશન ઇન્ટરનેશનલ મેઇલ કરીને જાણ કરાઇ કે ગુજરાતની મુખ્ય બ્રાન્ચની કંપની દ્વારા ત્રણ અલગ અલગ એટીએમમાં રોકડ રકમની ભૂલ આવે છે.
પાંચેય કર્મચારીએ મળીને કરી છેતરપિંડી
ત્યારબાદ શૈલેશભાઈ અને તેમની કંપનીએ મુખ્ય બ્રાન્ચની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પાંચેય કર્મચારીએ એટીએમમાં પૈસા અપલોડ કરતી વખતે એકબીજાની મદદથી મશીન સાથે છેડછાડ કરીને એટીએમમાં ઓછા પૈસા અપલોડ કરી પૂરા પૈસા અપલોડ કર્યાની રિસીપ્ટ કાઢીને ગેરરીતિ આચરી હતી.