સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યું છે કે, આગામી 31 ડિસેમ્બર બાદ 200 રૂપિયાની નોટ બંધ થવાની છે. આ સમાચાર સાંભળીને નાગરિકો ફરીવાર ચિંતામાં મુકાયા છે અને લોકો વાયરલ થયેલા આ મેસેજ કેટલા અંશે સાચો છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાયરલ થઇ રહેલા આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બંધ થઇ જશે અને તેની જગ્યાએ 1000 રૂપિયાની નોટ આવશે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ
31 ડિસેમ્બરથી 2000ની નોટ બંધ થઇ જશે ?
મોદી સરકારે કર્યો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, બ્લેકમનીને રોકવા માટે અને ડિજિટલ પેમેન્ટ વધારવા માટે 8 નવેમ્બર 2016 ના રોજ મોડી સાંજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યારબાદ 500 રૂપિયા અને 1000 રૂપિયાની ચલણી નોટ ભારતમાં ગેરકાયદેસર બની હતી.
મોદી સરકારે કર્યો ખુલાસો
નોંધનીય છે કે, અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજને અફવા ગણવ્યો છે. તેમણે કહ્યું કે, જે રીતે બજારમાં 2000 ની નોટ ફરી રહી છે અને જે રીતે ફરી રહી છે તેને જોતા 2000 ની નોટ બંધ કરવાની હાલ કોઇ જરૂરીયાત નથી.
અનુરાગ ઠાકુરે ગૃહમાં આપ્યો જવાબ
આ સિવાય ચલણના સરક્યુલેશનના સવાલ પર નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે ગૃહને જણાવ્યું છે કે માર્ચ, 2019 સુધીમાં ચલણનું સરક્યુલેશન 21 લાખ કરોડને પાર કરી ગયું છે. આ પહેલા માર્ચ 2018 માં આ આંકડો આશરે 18 લાખ કરોડનો હતો. તે જ સમયે, માર્ચ 2017 માં ચલણનું પરિભ્રમણ લગભગ 13 લાખ કરોડ હતું. જ્યારે નોટબંધીના થોડા સમયગાળા પહેલા અર્થશાસ્ત્રમાં ચલણનું સરક્યુલેશન માર્ચ, 2016 માં લગભગ 16.41 લાખ કરોડ હતું