ખેડૂત આંદોલનના કારણે NH-44 પર લગભગ 300 રૂપિયાનો ટેક્સ 8 મહિનાથી લેવામાં આવી રહ્યો નથી. જેના કારણે સરકારને 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ખેડૂત આંદોલનના કારણે સરકારને મોટું નુકસાન
NH-44 પર લગભગ 300 રૂપિયાનો ટેક્સ લેવાતો નથી
8 મહિનામાં સરકારને 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું
સરકારના એક અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પંજાબ અને હરિયાણામાં લગભગ 6 મહિનાથી 50 ટોલ પ્લાઝા બંધ છે. અધિકારીન જણાવ્યા અનુસાર લગભગ 5 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ વખતે ટોલ પ્લાઝા લાંબા સમયથી બંધ કરી દેવામાં આવ્યા છે.
શું કહે છે ખેડૂતો
પાણીપત ટોલ પ્લાઝા પર ખેડૂત આંદોલનનો હિસ્સો બનેલા સતનામ સિંહ કહે છે કે અમે લોકોને નુકસાન કરતા નથી, લોકો ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છે. તેઓના રૂપિયા બચે છે અને તેઓ અમારો આભાર માને છે. જ્યારે ઇંધણ 100 રૂપિયાથી પણ વધી ચૂક્યું છે ત્યારે સમાજની કોઈ ફરિયાદ નથી. અમે તો સરકારને નુકસાન કરી રહ્યા છીએ જે 8 મહિનાથી અમારી માંગ સ્વીકારી રહ્યા નથી.
ટોલ પ્લાઝા ઓપરેટર્સને અપાઈ શકે છે રાહત
ગયા માર્ચ મહિનામાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સંસદમાં કહ્યું કે 16 માર્ચ સુધી પંજાબમાં 427 કરોડ અને હરિયાણામાં 326 કરોડનું નુકસાન થયું હતું. 2 જુલાઈએ નેશનલ હાઈવે ઓથોરિટીએ કહ્યું છે કે ટોલ પ્લાઝા ઓપરેટર પોતાના નુકસાન માટે ક્લેમ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આંદોલનના કારણે ટોલ પ્લાઝા બંધ છે અને તેમનો કોન્ટ્રાક્ટ તેટલા દિવસો સુધી વધારે દેવાયો છે.
શું કહે છે રાજ્ય સરકાર
પંજાબ અને હરિયાણા સરકારે ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલવાની કેન્દ્રની અપીલ પર કાયમી રહેવાનું ચૂક્યા છે. રાજ્યોનો તર્ક છ કે આ માટે કોઈ જબરદસ્તીથી લેવાયેલો નિર્ણય વ્યવસ્થા બગાડી શકે છે. કેન્દ્ર સરકારના અન્ય એક અધિકારીનું કહેવું છે કે એવું લાગે છે કે જેવી રીતે ખેડૂતોની આ ગેરકાયદેસરની રીત છે તેની સામે બંને રાજ્યોએ સમર્પણ કર્યું છે.