રાજકોટઃ સોમનાથ સ્વામિનારાયણ ગુરૂકુલના સંતો પાસે ખંડણી માગનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અમરેલીના 2 શખ્સોએ સંતો પાસેથી રૂપિયા અઢી કરોડની ખંડણી માગી હતી.
2 સંતોના ફોટો મહિલા સાથે એડીટ કરીને વાયરલ કરવાની ધમકી આપી હતી. સંતોને સોમનાથથી અમરેલી બોલાવીને ધમકી આપી હતી. જેને લઈને સંતોની ફરિયાદ આધારે અમરેલી પોલીસે 2 શખ્સને ઝડપી પાડ્યા છે.
મહત્વનું છે કે સંતોને બ્લેકમેઇલ કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સોમનાથ સ્વામીનારાયણ ગુરૂકુલના સંતો પાસે 2.50 કરોડની ખંડણી માગવાની ઘટના સામે આવી હતી.
જેને લઇને સંતોએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જ્યાર બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા.