જાપાન અને બ્રિટનમાં ટ્રેન મોડી પડવા બદલ મુસાફરોને વળતર આપવામાં આવે છે. આ જ પેટર્ન પર હવે તા.17 જાન્યુઆરીથી મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસમાં આ પેટર્ન અપનાવવામાં આવશે.
તેજસ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને થશે ફાયદો
ઘરમાં ચોરી થાય તો મળશે 1 લાખ સુધીનું વળતર
17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઇ વચ્ચે થશે શરૂ
આ અંતર્ગત જો પ્રવાસી તેજસમાં મુસાફરી કરી રહ્યા હશે અને તેમના ઘેર ચોરી થઇ જાય તો તેમને રૂ. ૧ લાખ સુધીનું વળતર આઈઆરસીટીસી આપશે, જોકે વળતર મેળવવા માટે જે તે ઘટના સમયે પ્રવાસી તેજસ ટ્રેનમાં ઓન બોર્ડ એટલે કે મુસાફરી કરી રહ્યો હોવા જોઈએ અને તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવેલી હોવી જોઈશે. તેજસ ટ્રેનમાં બુકિંગ કરાવ્યા બાદ મુસાફરોને વીમા કંપની તરફથી ઈ-મેઇલ મોકલવામાં આવશે. મુસાફરના ઘેર ૧ લાખ સુધીની ચોરીનું વળતર આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવશે.
નિયત સમય કરતાં ૧ કલાક મોડી પડશે તો મળશે વળતર
એટલું જ નહીં, પરંતુ પ્રવાસીને વધુ એક સુવિધા પણ આપવામાં આવશે. આઈઆરસીટીસીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર તેજસ ટ્રેન તેના નિયત સમય કરતાં ૧ કલાક મોડી પડશે તો પ્રવાસીને ૧૦૦ રૂપિયા અને ર કલાકથી વધુ મોડી પડે તો રપ૦ રૂપિયા વળતર ચૂકવવામાં આવશે. આ સુવિધા દિલ્હી -લખનૌ વચ્ચે શરૂ થયેલી તેજસમાં અપાઈ રહી છે. આ જ પ્રમાણેની સુવિધા મુંબઈ-અમદાવાદ વચ્ચે પણ મળશે.
શું રહેશે ટાઇમ ટેબલ
૧૭મીએ શરૂ થનારી તેજસ ટ્રેન પહેલા દિવસે તેના નિયત સમય કરતાં ૩ કલાક મોડી ઉપડશે. ઉદઘાટન કાર્યક્રમ હોઈ ટ્રેનનું શેડ્યૂલ બદલાયાની સત્તાવાર જાણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. પહેલા દિવસે ટ્રેન અમદાવાદથી ૯.૩૦ વાગ્યે ઉપડશે અને સાંજે ૪ વાગ્યે મુંબઇ પહોંચશે, જ્યારે મુંબઇથી સાંજે પ.૧પ વાગ્યે ઉપડશે, જે રાતના ૧૧.૩૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. ઉદઘાટન બાદ ૧૯મીથી રૂટિન સમય પર અમદાવાદથી સવારે ૬.૪૦ વાગ્યે રવાના થશે અને બપોરે ૧.૧૦ વાગ્યે મુંબઇ પહોંચશે. જ્યારે બપોરે ૩.૪૦ વાગ્યે મુંબઇથી ઉપડી રાતે ૯.પપ વાગ્યે અમદાવાદ પહોચશે.
તેજસ ટ્રેન વિશે વધુ જાણવા માટે જુઓ નીચેનો વીડિયો...