કર્ણાટકથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. જાણીતા કન્નડ એક્ટર સુરેન્દ્ર બંતવાલ તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં છે. 'ટુલ્લૂ' એક્ટરનું નિધન તેમના બંતવાલ સ્થિત ઘરમાં થઈ છે. સુરેન્દ્ર બંતવાલની મોતના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજી આ મામલે કોઇ જ માહિતી સામે આવી નથી. હજુ આ મામલે કોઇ માહિતી સામે આવી નથી. જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં એક્ટરની હત્યાની આશંકા દર્શાવી છે. અત્યાર સુધીમાં સુરેન્દ્ર બંતવાલના પરિવારમાંથી આ મામલે કોઈ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી. સુરેન્દ્ર બંતવાલે તેનાં ફિલ્મી કરિયર બાદ રાજનીતિમાં જવાનો નિર્ણય લીધો હતો.
કન્નડ એક્ટરનું નિધન
પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો એક્ટર
પોલીસ કરી રહી છે તપાસ
સુરેન્દ્ર બંતવાલના નિધન અંગે ANI દ્વારા જાણકારી આપવામાં માં આવી છે. જે મુજબ, રાઉડી-શીટર સુરેન્દ્ર બંતવાલ તેમના ઘરમાં જ મૃત હાલતમાં મળી આવ્યા છે. જે બંતવાલમાં સ્થિત છે. જે બાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે. તેમણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સુરેન્દ્રના નિધનના સમાચારથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝાટકો લાગ્યો છે. જ્યારે તેમના ફેન્સ પણ આ સમાચાર સાંભળીને આઘાતમાં છે.
Karnataka: Rowdy-sheeter Surendra Bantwal found dead at his apartment in Bantwal. Police rushed to the spot.
મીડિયા રિપોર્ટ્સની માનીએ તો આ કેસમાં પૈસાની લેણદેણ કારણ હોઈ શકે છે. જેને લઈને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. સુરેન્દ્ર બંતવાલ સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહેતો હતો અને રાજકારણ પર પણ તેઓ બેબાકીથી નિવેદન આપતા હતા. સુરેન્દ્રએ 'ટુલ્લૂ ફિલ્મ ચલી પોલિલુ' અને 'સવર્ણ દીર્ધા સંધી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.