સુરતના સીમાડા જંકશન પાસે તોડફોડ ઘટના બની હતી. મોડી રાતે અચાનક કેટલાક અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. રસ્તા પર અચાનક ધસી આવેલા કેટલાક અસામાજીક તત્વોએ BRTS સ્ટેશનને નિશાન બનાવેલ અને રોડ પર ટાયરો સળગાવવામાં આવેલ.
રવિવારની મોડી રાતે અચાનક બનેલી આ ઘટનામાં સુરતમાં અસામાજીક તત્વોએ બસને આગચંપી કરી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ સુરતની સ્થાનિક પોલીસ અને SP ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને મામલો વધારે પ્રમાણે બિચકે તે પહેલા મોરચો સંભાળ્યો હતો. જો કે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી ફાયર બ્રિગેડની કોઇ ટીમ ઘટના સ્થળે પહોંચી નહોંતી.
ઉલ્લેખનીય છે કે રોડ પર ધસી આવેલ અસામાજીક તત્વોએ 3 બસને આગચંપી કરી હતી. જો કે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચે તે પહેલા આ અસામાજીક તત્વો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મોરચો સંભાળી લીધો હતો.
આપને જણાવી દઇએ કે આ સાથે જ સુરતના યોગીચોક પુણા અને સરથાણા વિસ્તારમાં પણ આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.આ ઘટનાને કારણે સુરતમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે.
એક તરફ રવિવારનો માહોલ અને મોડી રાતે આ ઘટના બનતા સુરતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો આ તરફ Vtv સાથે પાટીદાર નેતા હાર્દિકે ટેલિફોનિક વાત કરી હતી અને જનતાને શાંતિ જાળવવા અપીલ કરી હતી.