બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:31 AM, 16 February 2025
નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13-14 પર મોટી દુર્ઘટના બની છે. અતિશય ભીડ હોવાના કારણે ત્યાં સફોકેશનની સ્થિતિ સર્જાઇ જેના કારણે ત્યાં ભાગદોડ મચી ગઈ. સૂત્રો અનુસાર ભાગદોડમાં 15 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પ્રયાગરાજ જવા માટે રાત્રે 8 વાગ્યે અચાનક એક સાથે નવી દિલ્હી સ્ટેશન પર ઘણા લોકો આવી ગયા, જેના કારણે ત્યાં અફરા-તફરી મચી ગઈ.
ADVERTISEMENT
*Break*
— Kajal Singh Rajput (@kajal_singh01) February 15, 2025
नई दिल्ली रेलवे स्टेशन के प्लेटफॉर्म नंबर 13-14 पर बड़ा हादसा।
बहुत ज्यादा भीड़ होने के चलते सफोकेशन के चलते कई लोगो के बेहोश होने की खबर।
हालांकि दिल्ली पुलिस की रेलवे यूनिट भगदड़ से इनकार कर रही है।
लेकिन कई लोगो के बेहोश होने की बात कही है।#NewDelhi #STAMPEDE pic.twitter.com/hfeO8VE8HZ
સૂત્રો અનુસાર, 14 લોકોને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન પર પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્ય ચાલુ છે. પ્રયાગરાજ તરફ જતી તે ટ્રેન મોડી પડી હતી, જેના કારણે પ્લેટફોર્મ પર ભીડ ભેગી થઈ ગઈ. સૂત્રો અનુસાર, ભાગદોડમાં 15 લોકોના મોત થયા છે. હવે પ્રયાગરાજઆ માટે બે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે અને વહેલી તકે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની ખબર સામે આવી છે.
ADVERTISEMENT
"बड़ा हादसा! नई दिल्ली रेलवे स्टेशन के प्लेटफॉर्म नंबर 13-14 पर भीड़ के चलते कई लोग बेहोश हो गए! दिल्ली पुलिस की रेलवे यूनिट भगदड़ से इनकार कर रही है, लेकिन सच्चाई क्या है? #NewDelhi #RailwayStation #Stampede" pic.twitter.com/fz5CDzoZoL
— Mohd Ismail (@MohdIsmail0022) February 15, 2025
તપાસમાં રેલવે
આ ઘટના અંગે, ઉત્તરી રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, "નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ ભાગદોડ થઈ નથી. આ માત્ર એક અફવા છે. ઉત્તર રેલ્વે પ્રયાગરાજ માટે બે ખાસ ટ્રેનો ચલાવી રહી હતી." રેલવે વહીવટીતંત્રે મુસાફરોને શાંત રહેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. રેલવે અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે કે ટ્રેનો કેમ રદ કરવામાં આવી અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં.
#WATCH | नई दिल्ली रेलवे स्टेशन पर भगदड़ जैसी स्थिति में 15 लोग घायल हो गए हैं। मौके पर 4 दमकल गाड़ियाँ मौजूद हैं: दिल्ली अग्निशमन सेवा
— ANI_HindiNews (@AHindinews) February 15, 2025
(वीडियो नई दिल्ली रेलवे स्टेशन से है।) https://t.co/g9kSmLLmOE pic.twitter.com/y9PaY3A9RP
યાત્રીએ પોતાની આંખોથી દેખી કહી
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર હાજર એક યાત્રીએ કહ્યું, "જો અમને બહાર રોકવામાં આવી રહ્યા છે, તો પ્લેટફોર્મ પર ટ્રેનને પણ થોભાવો. આવો તો નહિ થાય કે અમે સ્ટેશનની બહાર ઊભા છીએ અને ટ્રેનો આવી રહી છે અને જઈ રહી છે." એક અન્ય યાત્રીએ કહ્યું, 'એક કલાક પહેલાથી પ્લેટફોર્મ પર ઊભો હતો, પરંતુ ટ્રેનમાં ન ચડી શક્યો, એટલી ભીડ હતી. ટોયલેટમાં સીડીઓ પર દરેક જગ્યાએ લોકોની ભીડ હતી. યાત્રી ટ્રેનમાં ચડી શકે એવી કોઈ મદદ કરવાના વાળું પ્લેટફોર્મ પર નહતું."
આ પણ વાંચો: વોટના બદલામાં નોટ! ભાજપે ચૂંટણી જીતવા રૂપિયાની ઓફર કરતો વીડિયો વાયરલ
મહાકુંભના કારણે આવતી જતી તમામ ટ્રેનોમાં અત્યારે ઘણી ભીડની સ્થિતિ જોવા મળી રહી છે. મહાકુંભમાં આ સમયે દરરોજ લાખો લોકો સંગમ સ્થાનમાં ડૂબકી લગાવી રહ્યા છે. મેળા તંત્ર તરફથી જારી કરાયેલા આંકડા અનુસાર, શનિવારે સાંજે 8 વાગ્યા સુધી કુલ 2.36 કરોડ શ્રધ્ધાળુઓએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું અને 13 જાન્યુઆરી બાદથી અત્યાર સુધી કુલ 52.83 કરોડ શ્રધ્ધાળુ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.