ભાવનગર-હજીરા વચ્ચે વધુ એક રો-પેક્ષ સર્વિસ શરૂ થાય તે અંગેની મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે.
ભાવનગર-હજીરા વચ્ચે વધુ એક રો-પેક્ષ શરૂ થશે
મુસાફરો અને વાહનો લઇ જવાની ક્ષમતા બમણી થશે
આગામી દિવસોમાં મોટા જહાજની સેવા શરૂ કરાશે
ભાવનગર અને હજીરા વચ્ચે વધુ એક રો-પેક્ષ સેવા શરૂ કરવામાં આવશે આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આગામી સમયમાં વડાપ્રધાન મોદીના હસ્તે આ સેવાનો હજીરા ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવશે. જેને પગલે ભવનગર સહિત આજુબાજુના પંથકવાસીઓની સુવિધામાં વધારો થવાને લોકો દ્વારા આ જાહેરાતને આવકાર મળી રહ્યો છે.
PM મોદી હજીરાથી જહાજનું પ્રસ્થાન કરાવશે
સૌરાષ્ટ્ર અને ગુજરાતને મોટી ભેટ સમાન ફરી એક વખત રો-પેક્ષ સેવાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ભાવનગર અને હજીરા વચ્ચે વધુ એક રોપેક્ષ સેવા શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભાવનગર અને હજીરા વચ્ચે મોટા જહાજની સેવા શરૂ કરવામાં આવશે. રો-પેક્ષ સેવા શરૂ થયા બાદ મુસાફરો સંખ્યા અને વાહનો લઇ જવાની ક્ષમતા બમણી બનશે. આ રો-પેક્ષ સેવા શરૂ થતાંની સાથે વેપારીઓને ઘણી રાહત મળી શકશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરાયેલી જાહેરાત મુજબ PM નરેન્દ્ર મોદી હજીરાથી જહાજનું પ્રસ્થાન કરાવે તેવા અણસાર વર્તાઇ રહ્યા છે. આ રો-પેક્ષ સેવાને લઇને આગામી સમયમાં સરકાર અને સબંધિત કંપનીઓ દ્વારા સ્ટ્રકચરનો તખ્તો તૈયાર કરી દેવામાં આવશે.
અગાઉ હજીરા-ઘોઘા રો-પેક્ષ ફેરી સર્વિસનું પીએમના હસ્તે કરાયું હતું ઈ-લોકાર્પણ
નોંધનિય છે કે, અગાઉ ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. હજીરા-ઘોઘા રો-પેક્ષ ફેરી સર્વિસનું પણ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયા બાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે સેવા સુવિધાયુક્ત સાબિત થયા બાદ લોકોની જરૂરિયાતોને ધ્યાને લઈને આ સેવા અંગે ફરી એક વખત નિર્ણય લેવામાં આવ્યો છે.