વંદે ભારત મિશન હેઠળ દુબઇથી ગોવા પહોંચેલી પ્રથમ વિશેષ ફલાઇટના યાત્રીઓના કારણે એ સમયે એરપોર્ટ પર હોબાળો મચ્યો જ્યારે તેમાથી કેટલાંક લોકોએ ક્વોરન્ટાઇન સેન્ટર પર જવાનો ઇન્કાર કર્યો. પ્રવાસીઓ જણાવ્યું કે તેઓ રૂપિયા આપી 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કેન્દ્ર નહીં જાય. અમને અમારા ઘરે મોકલી આપો. ઉલ્લેખનીય છે કે દુબઇથી ગોવા આવેલી આ પ્રથમ વિશેષ ફલાઇટમાં કુલ 155 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યાં છે.
ગોવાના આરોગ્ય સચિવ નીલા મોહનને આ અંગે જાણકારી આપતાં કહ્યું કે દુબઇથી આવેલ વિમાન 155 પ્રવાસીઓને લઇને મંગળવારની રાતે એરપોર્ટ પહોંચ્યું હતું. જ્યારે પ્રવાસીઓએ ડાબોલિમ એરપોર્ટ પર પહોંચ્યા તો તેઓએ તરથ હંગામો અને રોવાનું શરૂ કરી દીધુ કે રૂપિયા આપી તેઓ ક્વોરોન્ટાઇન સેન્ટર નહી જાય અને પોતાના ઘરે જવા ઇચ્છે છે. જેને લઇને થોડા સમય માટે એરપોર્ટ પર હંગામા જેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું હતું.
આરોગ્ય સચિવે કહ્યું કે દરેક ફલાઇટમાં સામેલ યાત્રીઓઓનું એક વ્હોટસ એપ ગ્રુપ બનાવામાં આવે છે. જેમાં ઉચ્ચ અધિકારી પણ સામેલ હોય છે. આ ગ્રુપના માધ્યમથી દરેક યાત્રીઓને જરૂરી દિશ-નિર્દેશ આપવામાં આવે છે.
An unfortunate set of events happened at Dabolim Airport since past midnight y'day when Vande Bharat flight from Dubai landed. Most of the passengers were from Goa, some from Maharashtra & Karnataka. There were around 155 passengers in total: Goa Health Secy Nila Mohanan (02.06) pic.twitter.com/qZQBwzxyPC
વંદે ભારત મિશન હેઠળ ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલ તરફથી જાહેર કરાયેલ ગાઇડલાઇન અનુસાર,યાત્રી સાથે વિમાનમાં બેઠતા પહેલા ક્વોરોન્ટાઇ સેન્ટર જવા તેમજ તેનો ખર્ચ ઉઠાવવાને લઇને એક મંજૂરી પત્ર પર સહી કરાવામાં આવે છે.
આરોગ્ય સચિવે કહ્યું કે આ ઘણુ દુઃખદ છે કે આ પ્રકારનો વ્યવહાર આપણા એ ભાઇઓ અને બહેનો તરથી કરવામાં આવ્યો, જે દુબઇથી પરત આવ્યાં હતા. તેઓએ કહ્યું કે આ વ્યવહાર ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના દિશ-નિર્દેશો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમની કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરનારું છે. સરકાર તેને લઇને ગંભીર છે.