રિસર્ચ પ્રમાણે ભણવામા ધ્યાન કેન્દ્રિત ના થઇ શકવું અને ઊંઘ ના આવવાની સારવાર ગુલાબના ફૂલની સુંગધમાં છુપાયેલુ છે. ખૂબ જ કમાલની છે ગુલાબન ફૂલની સુંગધ. ગુલાબની સુંગધ સારી રીતે ભણવા અને ઊંઘની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદરૂપ સાબિત થાય છે. એક નવા સંશોધનમા આ વાત સામે આવી છે.
ઊંઘ ના આવવાની સારવાર ગુલાબના ફૂલની સુંગધમાં છુપાયેલુ છે
સુગંધથી થતા ફાયદા વિશે માહિતી મેળવવા માટે ભૂતકાળમાં એક અભ્યાસ કરવામાં આવ્યો
'સાયન્ટિફિક રિપોર્ટ્સ' પર પ્રકાશિત અહેવાલ મુજબ, ગુલાબની સુગંધથી થતા ફાયદા વિશે માહિતી મેળવવા માટે ભૂતકાળમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો હતો.
ગુલાબની સુગંધના ફાયદા શોધવા માટે, વિદ્યાર્થીઓને અધ્યયનમાં બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના એક જૂથને ગુલાબની સુગંધ વચ્ચે રાખવામાં આવ્યુ હતી, જ્યારે બીજા જૂથને ગુલાબ સુગંધ ન હોય તેવા ઠેકાણે રાખવામાં આવ્યું હતું. . સંશોધનકારોએ કહ્યું, " કે ગુલાબની સુગંધની અસર રોજિંદા જીવનમાં ખૂબ જ વ્યાપક થાય છે અને તેના કેટલાય ફાયદા મળી શકે છે'
સંશોધનકારોએ જણાવ્યું હતું કે પરીક્ષા જૂથના સહભાગીઓએ અંગ્રેજી શબ્દભંડોળ શીખતી વખતે ઘરે તેમના ડેસ્ક પર ગુલાબ અથવા સુગંધિત અગરબત્તી મૂકવાનું કહ્યું હતું. વિદ્યાર્થીઓનો બીજો જૂથ સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે.
જર્મની સ્થિત ફ્રીબર્ગ યુનિવર્સિટીના સંશોધન વિભાગના વડા જુર્ગન કોર્નમીઅરે જણાવ્યું હતું કે, "જ્યારે સુતા સમયે અને અભ્યાસ દરમિયાન નજીકમાં ગુલાબ અથવા ધૂપ અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારે વિદ્યાર્થીઓએ 30 ટકા સફળતા વધુ પ્રાપ્ત પ્રાપ્ત કરી હતી." સંશોધનકારોને જાણવા મળ્યું કે ગુલાબની સુગંધથી ઉંઘ સારી આવે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે.