યાત્રાધામ પાવાગઢ હમણા જવાનું માંડી વાળજો. નહીં તો પગપાળા ડુંગર ચઢવાનો આવશે વારો, કારણ કે પાંચ દિવસ રોપવે સર્વિસ રહેવાની કરાઇ છે જાહેરાત
પાવાગઢ ખાતે રોપ વે પાંચ દિવસ માટે બંધ રહેશે
એન્યુઅલ મેન્ટનેન્સને કારણે 18થી 22 જુલાઈ સુધી રહેશે બંધ
રોપ વે બંધ રહેવા અંગે ઓથોરિટીએ કરી જાહેરાત
પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા જવાનો જો તમારો પ્લાન હોય તો થોભી જજો. કારણ કે પાવાગઢના દર્શનાર્થે આવતા ભક્તો માટે આ નિર્ણય ઘણો જ મહત્વનો થઇ પડશે. પાવાગઢ ખાતે રોપવે સેવા આગામી 5 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એન્યુઅલ મેન્ટેનન્સને કારણે 18થી 22 જુલાઇ સુધી રોપવે સેવા બંધ રાખવામાં આવશે.
પાવાગઢમાં 5 દિવસ રોપ-વે સેવા બંધ
મહાકાળી માના દર્શન કરવા નાના મોટાથી લઇને વૃદ્ધો પણ હોંશે હોંશે આવે છે. પરંતુ 18થી 22 જુલાઇ દરમિયાન મહાકાળી માના દર્શને આવવુ થોડુ કપરુ પડી શકે છે કારણ કે પાવાગઢ ખાતે રોપવે સેવા આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પાંચ દિવસ રોપવે બંધ રહેશે. રોપવેમાં મેઇન્ટેનન્સને લઈને યાત્રાળુઓ માટે પાચ દિવસ રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા.18 જુલાઈથી તા. 22 જુલાઈ સુધી બંધ રહેશે. જો કે તારીખ 23 જુલાઈનાં રોજથી રોપવે સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામા આવશે. રોપવે સેવા બંધ રહેવાના કારણે દિવ્યંગો તેમજ સિનિયર સિટીઝન દર્શનાર્થીઓને અગવડતા પડશે. મહત્વનું છે કે દર વર્ષે જુલાઇ માસમાં ઉષા બ્રેકો કંપની દ્વારા દર મેન્ટનન્સની કામગીરી કરવામાં આવે છે.
3 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની પડવાની વકી છે. આ સાથે 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ
ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા આગામી 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ
બીજી તરફ અમદાવાદ શહેરના વહેલી સવારથીજ ચાંદલોડિયા, ગોતા, બોપલ, આંબલી, સેટેલાઈટ, વસ્ત્રાપુર, મેમનગર, આંબાવાડી, ઘાટલોડિયા, શીલજ, સરખેજ, આશ્રમ રોડ, સાબરમતી, એરપોર્ટ, શાહીબાગ, નવરંગપુરા, ઉસ્માનપુરા, ઈસનપુર, નરોડા, બાપુનગરમાં વરસાદ પડ્યો હતો