એવું કહેવામાં આવે છે કે ક્રોધ વિચારવાની ક્ષમતાને નષ્ટ કરે છે, જેના કારણે વ્યક્તિ ગુસ્સામાં ક્રૂર પગલા લે છે. પરિણામે, તેને ફક્ત પસ્તાવો અને સજાના ભાગરૂપે તેને દંડ ફટકારવામાં આવે છે.
મધ્યપ્રદેશમાં બની રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના
મહિલાના પરિવારજનોએ એજ આપ્યો ત્રાસ
મૃત માની રસ્તા પર તરછોડી દીધી
આ ઘટના મધ્યપ્રદેશના નાગડાના વિદ્યાનગર વિસ્તારની છે, જ્યાં રૂંવાડા ઉભી કરી દે તેવી ઘટના બનતા સનસનાટી મચી ગઈ હતી. ખોટા સંબંધોની શંકાના આધારે એક મહિલાને તેના જ પતિ, સસરા અને અન્ય એક મહિલા સબંધીએ ઘરમાં બંધ રાખીને માર માર્યો હતો. તો તેણીને મારતા મારતા ઘરની બહાર લઈ જવામાં આવી હતી અને તેને મૃત માનીને ઘરની બહાર ફેંકી દીધી હતી અને બધા નાસી છૂટ્યા હતો. જો કે, હદ તો ત્યારે થઇ જ્યારે આસપાસના લોકો તેની મદદે ન આવ્યા.
પીડિત મહિલાની મદદે કોઇ ન આવ્યું
ઉલ્લેખનીય છે કે, આરોપી ફરાર થયાં બાદ ઈજાગ્રસ્ત મહિલાએ આશરે 10 મિનિટ સુધી તડપતી રહી પરંતુ કોઈએ તેની નજીક જવાની હિંમત કરી નહોતી. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને ઈંદોર રિફર કરવામાં આવી છે, જ્યાં તેની હાલત ચિંતાજનક છે.
નિર્દયતાએ હદ વટાવી
આ ઘટનાની નિર્દયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓએ મહિલાની જીભ, ગાલ, જડબા અને સ્તનને તલવાર અને અન્ય શસ્ત્રોથી કાપી નાખ્યા હતા. વળી, તેઓ અહીં અટક્યા નહીં, પણ મહિલાના મોં અને ખાનગી ભાગમાં વેલણ પણ નાખ્યું. આજુબાજુના લોકો મહિલાને બચાવવા માટે જોરથી અવાજ સાંભળતા રહ્યા પરંતુ કોઈ તેને બચાવવા આવ્યું ન હતું. આ પછી આરોપીઓને લાગ્યું કે તે મરી ચૂકી છે તેમ માનીને ઘરની બહાર લઈ આવ્યા અને રસ્તા પર ફેંકીને ચાલ્યા ગયા.
પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ
પોલીસે જણાવ્યું કે, આ કેસમાં પતિ, સાસુ અને અન્ય એક સ્ત્રી સંબંધીની હત્યા કરવાનો પ્રયાસ કરવા બદલ બિરલાગ્રામ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.