રોહતકની સંજય કોલોનીમાં મોડી સાંજ સુધી પોલીસ ફોર્સ તૈનાત રહી હતી. ડીએસપીએ કહ્યું કે આ વિવાદ ગેરસમજને કારણે થયો હતો. હવે મામલો સંપૂર્ણપણે શાંત છે.
રોહતકમાં ચર્ચની પ્રર્થનાસભાને લઈને ભારે હોબાળો
હિન્દુ સંગઠનોના સભ્યોએ પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
લાલચ આપીને ધર્મ બદલવો એ ખોટું છે. -VHP નેતા
Haryana: A group of people, that also included members of some Hindu orgs, attempted to forcefully enter a church in Indira Colony, Rohtak earlier today, alleging that religious conversion is taking place there. pic.twitter.com/FZgWL2A4Cy
રોહતકમાં ચર્ચની પ્રર્થનાસભાને લઈને ભારે હોબાળો થયો હતો
હરિયાણાના રોહતક શહેરની સંજય કોલોનીમાં ચર્ચની પ્રાર્થના સભાને લઈને ગુરુવારે ભારે હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો આરોપ છે કે ચર્ચની પ્રાર્થના સભામાં ગરીબ લોકોને ફસાવીને ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ચર્ચની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.દરમિયાન આ વાતની જાણ પોલીસને થતાં પોલીસે માત્ર ભીડને વિખેરી જ નહીં, પરંતુ ચર્ચમાં પ્રાર્થના સભા માટે એકઠા થયેલા લોકોને પણ શેરીઓમાંથી સલામત સ્થળે લઈ ગયા. તેમજ ચર્ચની બહાર મોડી રાત સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.પોલીસ અધિકારીઓનો દાવો છે કે કોઈ ધર્મ પરિવર્તન થયું નથી. એક ગેરસમજને કારણે વિવાદ થયો, જે હવે સંપૂર્ણપણે શાંત થઈ ગયો છે.
હિન્દુ સંગઠનોના સભ્યોએ પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, બપોરે લગભગ 11 કલાકે આ અંગેની જાણ હિન્દુ સંગઠનોને થઈ હતી.મોટી સંખ્યામાં કોલોનીમાં પહોંચ્યા હતાં. પરંતુ પહેલાથી જ તૈનાત પોલીસ દળે લોકોને ચર્ચ તરફ જતાં અટકાવ્યા હતાં.આ દરમિયાન સંગઠનનો અને પોલીસ વચ્ચે લાંબા સમય સુધી હંગામો ચાલ્યો હતો. હિન્દુ સંગઠનોના સભ્યોએ પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. જ્યાં એક તરફ પોલીસે પ્રદર્શનકારીઓને આગળ વધતાં અટકાવ્યાં હતાં, તો બીજી તરફ પોલીસે ચર્ચમાં આવેલા લોકોને અન્ય શેરીઓમાંથી તેમના ઘર તરફ મોકલી દીધા હતાં. બપોરે એક વાગ્યાના સુમારે મામલો થાળે પડ્યો હતો
લાલચ આપીને ધર્મ બદલવો એ ખોટું છે.
આ અંગે VHP નેતા વિજય ચુગે જણાવ્યું હતું કે, શહેરમાં ચાર-પાંચ ચર્ચ આવેલા છે. મદદના નામે ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો થાય છે. જો કોઈ ઈચ્છા પ્રમાણે ધર્મ બદલે તો તેને કોઈ વાંધો નથી. પરંતુ લાલચ આપીને ધર્મ બદલવો એ ખોટું છે.
સમગ્ર વિવાદ ગેરસમજના કારણે થયો હતો. -પોલીસ
બીજીતરફ પોલીસના અધિકારી જણાવ્યા અનુસાર આ સમગ્ર વિવાદ ગેરસમજના કારણે થયો હતો. ચર્ચમાં કોઈ પણ પ્રકારના ધર્મ પરિવર્તન જેવી વાત ન હોતી. સમજાવટ બાદ બંને પક્ષોને ધરે મોકલી દેવામાં આવ્યાં હતાં. અને હાલ સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણ શાતિનો માહોલ છે.