હરિયાણાના પૂર્વ શિક્ષા મંત્રી રામવિલાસ શર્માએ કહ્યું કે દિલ્હીની આસપાસને એક લાક લોકો બેઠા છે. આ હોળી બાદ નહીં દેખાય.
શર્માએ ખેડૂત આંદોલન પર આકરા કટાક્ષ કર્યા
ભગવત દયાલ શર્માના પુસ્તકનું બુધવારે રોહતકમાં વિમોચન કરવામાં આવ્યું
દિલ્હીની આસપાસ કંઈ નહીં દેખાય
શર્માએ ખેડૂત આંદોલન પર આકરા કટાક્ષ કર્યા
હરિયાણાના પૂર્વ શિક્ષા મંત્રી રામવિલાસ શર્માએ ખેડૂત આંદોલન પર આકરા કટાક્ષ કર્યા છે. શર્માએ કહ્યું કે દેશની રાજનીતિમાં ઉથલ પુથલ થઈ રહી છે. તેમણે 132 કરોડ લોકો જોઈ રહ્યા છે. સત્ય હંમેશા સત્ય જ રહેશે અને દિલ્હીની આસપાસને એક લાક લોકો બેઠા છે. આ હોળી બાદ નહીં દેખાય.
ભગવત દયાલ શર્માના પુસ્તકનું બુધવારે રોહતકમાં વિમોચન કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે હરિયાણાના પહેલા મુખ્યમંત્રી રહેવા સ્વર્ગીય ભગવત દયાલ શર્માના પુસ્તકનું બુધવારે રોહતકના મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલયમાં વિમોચન કરવામાં આવ્યું. આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશ કુમારે આનું વિમોચન કર્યુ. હરિયાણાના પૂર્વ શિક્ષા મંત્રી રામવિલાસ શર્મા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છ. આ દરમિયાન હરિયાણાની રાજનીતિમાં પંડિત ભગવત દયાળ શર્માનાં યોગદાનને લઈને ચર્ચા કરવામાં આવી.
ખેડૂત આંદોલન પર કટાક્ષા
ઈન્દ્રેશ કુમારે લોકોને અખંડ ભારતના નિર્માણમાં સહયોગ આપવાની અપીલ કરી અને જાતપાત તથા છુઆછુતનો વિરોધ કરવાની વાત કહી. કાર્યક્રમ દરમિયાન હરિયાણાના પૂર્વ શિક્ષા મંત્રી રામવિલાસ શર્માએ ખેડૂત આંદોલનન લઈને કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે 3 કૃષિ કાયદાનો જે વિરોધ કરી રહ્યા છે તેમણે પૂરો દેશ જોઈ રહ્યો છે. દિલ્હીની આસપાસ જે ધરણા પર બેઠા છે તે માત્ર એક લાખ લોકો છે. દેશના 132 કરોડ લોકો આમને જોઈ રહ્યા છે. સત્ય હંમેશા સત્ય જ રહેશે.
દિલ્હીની આસપાસ કંઈ નહીં દેખાય
શર્માએ કહ્યું કે હું દાવા સાથે કહું છું કે હોળીની લપેટો બાદ દિલ્હીની આસપાસ કંઈ નહીં દેખાય. તેમણે પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમે તેમને 12 વર્ષ ગુજરાતના સીએમ તરીકે જોયા છે અને હવે 7 વર્ષથી પ્રધાનમંત્રી તરીકે જોઈ રહ્યા છીએય તે યોગ્ય કરશે.