રોહિત શર્માએ શુક્રવારના BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આશ્વાસન આપ્યુ કે, ટીમ ઇન્ડિયા દિલ્હીમાં બાંગ્લાદેશ વિરુદ્ઘ પહેલી T-20 મેચ રમશે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદુષણને લઇને વધતી ચિંતાઓ છતાં ટીમને રમવા માટે કોઇ વાંધો નથી. તો બીજી તરફ બાંગ્લાદેશની ટીમના કેટલાક ખેલાડીઓ પ્રેક્ટિસ દરમિયાન એન્ટી પોલ્યૂશન માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરતા નજર આવ્યા.
જોકે ટીમ ઇન્ડિયા માસ્ક પહેર્યા વગર પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો અને પ્રેક્ટિસ કરી. BCCI ના સૂત્રોનુસાર, સૌરવ ગાંગુલીએ કેપ્ટન રોહિત શર્મા સાથે દિલ્હીમાં રમવા અંગે વાત કરી હતી.BCCI અધ્યક્ષે ટીમના હાલચાલ પૂછવા માટે ફોન કર્યો હતો. ગાંગુલીએ સ્ટેન્ડિંગ કેપ્ટન સાથે ચર્ચા કરી કે આ સ્થિતિ સામે ટીમ કેવી રીતે નિપટી રહી છે. કેપ્ટને પુષ્ટિ કરી, ટીમ સ્વસ્થ છે અને કોઇ સમસ્યા વિના બધાને ટ્રેનિંગ સેશનમાં હિસ્સો લીધો.
આ દરમિયાન કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘને સલાહ આપી છે કે, તે ફિરોઝશાહ કોટલા પરિસરની અંદરના વૃક્ષોને પાણીથી ધોવે અને 2 કિમી દાયરામાં પ્રદુષણ ફેલાવનારી વસ્તુઓ પર ધ્યાન રાખે. ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશની વચ્ચે 3 નવેમ્બરથી 3 T-20 ઇન્ટરનેશનલ મેચની સીરિઝ રમાશે. સીરિઝની પહેલી મેચ અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
ઉલ્લેખનીય છે કે, BCCI એ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ કે મેચ નિર્ધારિત કાર્યક્રમને અનુસાર જ થશે, ભલે પર્યાવરવિદો અને ક્રિકેટમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીરે હવાની ગુણવત્તા અંગે મુદ્દા ઉઠાવ્યા હોય. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરશે.
આ પહેલા રોહિતે કહ્યુ કે, ''અમે જ્યારે અહીંયા શ્રીલંકા વિરુદ્ઘ ટેસ્ટ મેચ રમી હતી તો અમને કોઇ સમસ્યા નથી થઇ. અમે ચર્ચાને વિશે વાફેક પણ ન હતા અને મને કોઇ સમસ્યા પણ થઇ નથી.'' રોહિત 2017 માં શ્રીલંકાઇ ટીમનો ઉલ્લેખ કર્યો હતો જેમાં મહેમાન ટીમના ખેલાડીઓ 3 ટેસ્ટ માં માસ્ક પહેરીને આવ્યા હતા.