કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશ તથા ઉત્તરખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પદે રહેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનું મંગળવારની મોડી સાંજે નિધન થયું હતું. રોહિત શેખર તિવારીનું નિધન હ્રદય બંધ થઇ જવાને કારણે થયું હતું.
દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશ તથા ઉત્તરખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પદે રહેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનું મંગળવારની મોડી સાંજે નિધન થયું હતું. રોહિત શેખર તિવારીનું નિધન હ્રદય બંધ થઇ જવાને કારણે થયું હતું. જો કે, આ પહેલા તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમને ઇલાજ માટે મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
DCP South Delhi Vijay Kumar: Rohit Shekhar Tiwari, son of late former Uttar Pradesh and Uttarakhand CM N D Tiwari, has been brought dead to Max Saket hospital.Further details are awaited. pic.twitter.com/PedZ53NECz
આપને જણાવી દઇએ કે, ગતવર્ષેના એપ્રિલ માસમાં રોહિતની સગાઇ મધ્યપ્રદેશની અપૂર્વા શુક્લા સાથે થઇ હતી. રોહિત અને અપૂર્વાની સગાઇ દિલ્હી સ્થિત રોહિતના નિવાસસ્થાને યોજાઇ હતી અને મે માસમાં રોહિત અને અપૂર્વાના લગ્ન થયાં હતા.
આ લગ્ન સમારંભમાં રોહિતના તથા અપૂર્વાના નજીકના જ સગા-સબંધીઓ હાજર રહ્યા હતા. અપૂર્વા ઇન્દોર સાથે સંબંધ ધરાવે છે જ્યાં તે સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરે છે. જો કે, આજ રોજ રોહિતના અચાનક નિધનને પગલે પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું.