અર્શદીપે કેચ છોડ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેના પર બૂમો પણ પાડી હતી. હાલ રોહિતની એ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા
મેચમાં અર્શદીપ સિંહે છોડ્યો હતો કેચ
રોહિત શર્મા થયો હતો ગુસ્સે
એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડની મેચમાં ગઇકાલે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હતી. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા.
અર્શદીપ સિંહે છોડ્યો હતો કેચ
ગઇકાલે પાકિસ્તાને ભારતને રસાકસીવાળા મેચમાં 5 વિકેટથી હરાવ્યું હતું.ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા પાકિસ્તાન સામે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની ટીમે ઓપનર મોહમ્મદ રિઝવાન ને 71 રન અને ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ 42રન બનાવીને ભારતીય ટીમ માટે હારનું કારણ બન્યા હતા. જો કે એક સમયે ભારતીય બોલરોએ રિઝવાન અને નવાઝને આઉટ કરીને મેચમાં જોરદાર વાપસી કરી હતી પણ અર્શદીપ સિંહનો એક કેચ છોડતા જ ટીમ ફરી હાર તરફ આગળ વધી હતી. અર્શદીપે કેચ છોડ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેના પર બૂમો પણ પાડી હતી. હાલ રોહિતની એ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
રોહિત શર્મા થયો હતો ગુસ્સે
17મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ મોહમ્મદ રિઝવાનને આઉટ કરીને ભારતીય ટીમની જીતની આશા જગાવી હતી. એ સમયે પાકિસ્તાનને જીતવા માટે 19 બોલમાં 36 રનની જરૂર હતી. લેગ સ્પિનરરવિ બિશ્નોઈ ભારત તરફથી 18મી ઓવર નાખવામાં આવી હતી. બિશ્નોઈની આ ઓવરના ત્રીજા બોલ પર આસિફે એરિયલ શોટ રમ્યો હતો અને એ સમયે ખૂબ જ સહેલો કેચ અર્શદીપ દ્વારા છૂટી ગયો હતો. આ જોઈને રોહિત શર્મા એ સમયે ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા.
આ પછી આસિફ અલીએ 8 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 16 રનની ઇનિંગ રમી હતી અને તેને કારણે જ ગઇકાલની મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ હતી. એશિયા કપની ફાઇનલમાં 11 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન ત્રીજી વખત આમને સામને થઈ શકે છે. આ માટે ભારતે શ્રીલંકા અને અફઘાનિસ્તાનને હરાવવું પડશે.