2000 માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યાના 19 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ઇતિહાસનો સારો ઑલરાઉન્ડર્સમાંથી એક યુવરાજ સિંહે સંન્યાસ લીધો છે. સોમવારે મુંબઇમાં એના એના રિટાયરમેન્ટની જાહેરાત થતા જ સમગ્ર સોશિયલ મીડિયાને આઘાત લાગ્યો.
ક્રિકેટ જગતની લગભગ તમામ હસ્તિઓએ એના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી. સાથે જ એના ક્રિકેટ કરિયરના જોરદાર વખાણ કર્યા. આ વચ્ચે ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ કપ જીતવા ઇંગ્લેન્ડ ગયેલા રોહિત શર્માએ પણઇ યુવી માટે એક ભાવુક ટ્વિટ કર્યું.
'હિટમેન' એ સાથે સાથે ઇશારામાં BCCI અને ટીમ મેનેજમેન્ટને પણ પ્રશ્નોથી ઘેરી દીધા. રોહિતે લખ્યું, 'જ્યારે તમારી પાસે એ ચીજ નથી રહેતી, ત્યારે તમને એની કમીનો અહેસાસ થાય છે. અઢળક પ્રેમ મારા ભાઇ. તમે એક સારા વિદાઇના હકદાર હતા.'
પોતાના સન્યાસ માટે જણાવચા યુવરાજે ખુલાસો કર્યો કે BCCI એ એને વાયદો આપ્યો હતો કે જો એ યો યો ફિટનેસ ટેસ્ટમાં ફેલ થઇ જાય છે કો એને વિદાઇ મેચ આપવામાં આવશે. જો કે એને યો યો ટેસ્ટ પાસ કરી લીધી અને વિદાઇ મેચ ક્યારેય ના થઇ.
જણાવી દઇએ કે યુવરાજ અને રોહિત શર્મા ખૂબ જ સારા મિત્રો છે. આ વખતે જ્યારે IPL માં કોઇ ટીમે એને ના ખરીદ્યો ત્યારે રોહિત શર્માની કેપ્ટનસી વાળી મુંબઇએ પોતાના દળમાં સામેલ કર્યો હતો. જો કે અહીંયા પણ વધારે એને તક મળી નહીં.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ માટે યુવરાજ સિંહે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી 20 મેચ રમી, જેમાં એને ટેસ્ટમાં 1900 રન તો, વન ડેમાં 8701 રન બનાવ્યા હતા. એમ તો યુવી એકલો નથી. વીરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને ગૌતમ ગંભીર જેવા ભારતીય દિગ્ગજોને પણ સારી વિદાઇ મળી નહીં.