કોરોનાને કારણે રોહિત શર્મા નહીં રમે ઈંગ્લેન્ડ સામેની પાંચમી મેચ
જસપ્રીત બુમરાહને બનાવાયો કેપ્ટન
રોહિત શર્માને કોરોનાને કારણે આરામ અપાયો
1 જુલાઈએ ઈન્ડીયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ
1 જુલાઈએ ઈંગ્લેન્ડ સામે રમાનાર પાંચમી ટેસ્ટ માટે બીસીસીઆઈએ જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવ્યો છે. કોરોનાને કારણે રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.
ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને બનાવાયો કેપ્ટન
ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કોરોનાથી સાજા થવાનો પ્રયાસ કરી રહેલો રોહિત શર્મા પાંચમી ટેસ્ટમાં રમવાનો નથી. તેની જગ્યાએ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને કેપ્ટનશિપ આપવામાં આવી છે.
Rohit Sharma will miss the fifth test (against England) and Jasprit Bumrah will lead the Indian side. He has been informed about this in the team meeting: Sources
રોહિત શર્મા કોવિડ-19 પૉઝિટીવ
રોહિત શર્મા કોવિડ-19 પૉઝિટીવ છે અને હાલમાં તે આઈસોલેશનમાં છે. આજે ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટોનમાં પ્રેક્ટિસ શરુ કરી હતી, પણ તેમાં કેપ્ટન રોહિતે ભાગ લીધો નથી. આ પરીક્ષણ કોરોનાવાયરસને કારણે વર્ષ 2021 માં રદ કરવામાં આવ્યું હતું. અત્યારે ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. પણ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે ક્લિન સ્વિપ કર્યા બાદ ઈંગ્લેન્ડનો જુસ્સો બુલંદ છે.
Rohit Sharma ruled out of 5th Test against England after testing positive for COVID-19 for second time, Jasprit Bumrah to lead
1 જુલાઈએ ટીમ ઈન્ડીયા ઈંગ્લેન્ડ સામે રમશે પાંચમી ટેસ્ટ
ઉલ્લેખનીય છે કે 1 જુલાઈએ ટીમ ઈન્ડીયા ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમશે.
મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ
જણાવી દઈએ કે રોહિત શર્માએ હાલમાં જ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ દરમિયાન ઈંગ્લિશ ક્લબ લિસેસ્ટરશાયર સામે પ્રેક્ટિસ મેચ રમી હતી. મેચની બીજી ઈનિંગમાં રોહિત શર્મા ટીમની સાથે દેખાયો નહતો. તેણે બેટિંગ પણ કરી ન હતી. ત્યારબાદ સમાચાર આવ્યા કે રોહિત કોવિડ પોઝિટિવ થઈ ગયો છે. ત્યાર બાદ રોહિત આઈસોલેશનમાં છે. મયંક અગ્રવાલને કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.