બીસીસીઆઈએ રોહિત શર્માને ભારતીય વન-ડે ટીમના કેપ્ટન બનાવ્યા છે અને રોહિત પહેલાથી જ ટી-20 ફોર્મેટના કેપ્ટન છે. રોહિતની સફળતાનો પ્રવાસ એટલો સરળ રહ્યો નથી તેના માટે તેમણે ખૂબ જહેમત ઉઠાવવી પડી છે.
BCCIએ રોહિત શર્માને ભારતીય વન-ડે ટીમના કેપ્ટન બનાવ્યાં
કેપ્ટન બન્યાં બાદ રોહિતનું 10 વર્ષ જૂનું ટ્વિટ થયુ વાયરલ
2011ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં રોહિતની પસંદગી થઈ નહોતી
રોહિતનું 10 વર્ષ જૂનું ટ્વિટ
એક સમય એવો હતો કે તેમને પસંદગી માટે યોગ્ય ગણવામાં આવતા ન હતા. પરંતુ હવે હિટમેન જાતે ખેલાડીઓને પસંદ કરવા માટે આવડત ધરાવે છે. રોહિત શર્માને ભારતીય વન-ડે ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યાં તેવુ જ તેમનું 10 વર્ષ જૂનું ટ્વિટ વાયરલ થયુ. કહેવાય છે કે ઈન્ટરનેટ પર કશું છૂપાયેલુ રહેતુ નથી અને હિટમેને જે વર્ષ 2011માં ટ્વિટ લખ્યું હતુ તે હવે તેના ક્રિકેટ ચાહકોએ શોધી કાઢ્યુ છે.
Really really disappointed of not being the part of the WC squad..I need to move on frm here..but honestly it was a big setback..any views!
એમએસ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે આઈસીસી વર્લ્ડ કપ 2011ની ટ્રોફી જીતી હતી. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં રોહિત શર્માની પસંદગી થઈ નહોતી. જેના કારણે હિટમેને ટ્વિટર દ્વારા પોતાની નારાજગી દર્શાવી હતી. રોહિત શર્માએ 31 જાન્યુઆરી 2011ના રોજ ટ્વિટર પર લખ્યું, હું ખૂબ નિરાશ છું. કારણકે હું વર્લ્ડ કપ ટીમનો ભાગ બન્યો નથી. મારે અહીંથી આગળ વધવાની જરૂર છે. પરંતુ જો પ્રામાણિકતાથી કહું તો આ મોટો ઝટકો છે... તમારા કોઈ વિચાર..!
ત્યારબાદ રોહિતની શાનદાર વાપસી થઈ હતી
રોહિતે ત્યારબાદ ભારતીય ટીમમાં સારી વાપસી કરી હતી અને સારા ઓપનર તરીકે સામે આવ્યાં હતા. વર્ષ 2015ના વર્લ્ડ કપમાં રોહિતે 8 મેચમાં 330 રન બનાવ્યાં. જેમાં 137ની ઈનિંગ સામેલ હતી. વર્ષ 2019ના વર્લ્ડ કપ એડિશનમાં તેમણે 5 સદીની સાથે 648 રન નોંધાવ્યાં છે અને ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન બન્યાં.
That feeling when you look back at this tweet and then what you have achieved is exactly what makes one proud of themselves. Well done champ. pic.twitter.com/xQ4Zsp9imc
રસપ્રદ વાત એ છે કે રોહિત શર્મા કે જેને આઈસીસી વર્લ્ડ કપ 2011માં રમવા માટે સક્ષમ ગણવામાં આવતા નહોતા. તેઓ આગામી 2 વર્લ્ડ કપમાં ધમાલ મચાવવામાં સફળ રહ્યાં અને હવે 2023ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આગેવાની કરશે.